________________
૧૭૬ અર્થ - હે ભગવંત ! હું પોસહ કરું છું. આહારત્યાગ કરવાનો પોસહ દેશથી વા સર્વથી, શરીરસત્કાર ન કરવાનો પોસહ સર્વથી, બ્રહ્મચર્યનો પોસહ સર્વથી, અવ્યાપારનો પોસહ સર્વથી, આ ચાર પ્રકારના પોસહને હું કરું છું, તે આખો દિવસ અથવા રાત અને દિવસ પાળું ત્યાં સુધી.
દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ કાએણે, ન કરેમિ નકારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ ગરિયામિ, અપ્રાણ વોસિરામિ ના
અર્થ - બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન-વચન અને કાયા વડે એમ ત્રણ પ્રકારે, નકરું તથા ન કરાવું એમ બે પ્રકારે, હે ભગવંત! તે (અતીતકાળના પાપ)ને હું પ્રતિક્રમું છું, આત્માની સાખે નિંદું છું, ગુરુની સાખે ગણું છું અને આત્માને વોસિરાવું છું. ૧
૪૯. પોસહ પારવાનું સૂત્ર સાગરચંદો કામો, ચંદનડિસો સુદંસણો ધન્નો જેસિં પોસહપડિમા, અખંડિયા જીવિયંતે વિ./૧
અર્થ - સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવતંસ રાજા, સુદર્શન શેઠ, તેઓને ધન્ય છે કે જેઓની પૌષધ પ્રતિમા જીવિતના અંત સુધી (મરણાંત કષ્ટ પ્રાપ્ત થતાં) પણ અખંડિત રહી. ૧