________________ પ૩૬ પછી ખમાસમણ દઈ “ઇચ્છકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી” એમ કહી વડિલ (બ્રહ્મચર્ય વ્રતધારી)નું અણપડિલેહ્યું એક વસ્ત્ર (ઉત્તરાસન) પડલેહવું પછી ખમા) ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું ?" “ઇચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા) “ઇચ્છાઓ ઉપધિ સંદિસાહું?' ઇચ્છે કહી ખમા૦ ઇચ્છા “ઉપધિ પડિલેહું?” કહીને પૂર્વે પડિલેહતાં બાકી રહેલ ઉત્તરાયણ, માગું કરવા જવાનું વસ્ત્ર અને રાત્રિ પોસહ કરવો હોય તો કામળી વગરે રપ-૨૫ બોલથી પડિલેહવાં. પછી એક જણે ડંડાસણ જાચી લેવું. તેને પડિલેહી, ઇરિયાવહી પડિક્કમીને કાજો લેવો. કાજો શુદ્ધ કરીને એટલે તપાસીને ત્યાં જ સ્થાપનાચાર્યની સન્મુખ ઉભા રહીને ઈરિયાવહી પડિક્કમવા. પછી કાજો ઉદ્ધરી યથાયોગ્ય સ્થાનકે ૩૫નાહં કરો કહીને પાઠવવો. પરઠવ્યા પછી ત્રણ વાર વોસિરે કહેવું. પછી મૂળ સ્થાનકે આવીને સૌ સાથે દેવ વાંચવા અને સઝાય કરવી. પડિલેહણની વિધિ પ્રથમ ઇરિયાવહી પડિક્કમીને ખમાસમણ દઈ “ઇચ્છા, પડિલેહણ કરું? ઇચ્છે' કહી; ઉભડક પગે બેસી મુહપત્તિ, ચરવળો, કટાસણું તથા સઘળાં વસ્ત્રની એક સાથે પૂર્વે કહ્યા તેટલા પોસહ કરવાને ઇચ્છનારે પ્રભાતમાં વહેલાં ઊઠીને રાઈ પડિક્રમણ જરૂર કરવું જોઈએ. વિધિના જાણ શ્રાવકો તો પડિલેહણ અને દેવવંદન પણ સાથે જ કરે છે. ત્યારપછી જિનમંદિરની જોગવાઈ હોય તો જિનપૂજા કરીને પછી ઉપાશ્રયે આવી ગુરુ સમક્ષ પોસહ ઉચ્ચરવો હાલમાં આ પ્રમાણે પ્રવૃત્તિ છે પરંતુ મુખ્ય વૃત્તિએ રાઈપડિક્કમણની સાથે જ, પ્રતિક્રમણ કરી, સામાયિક પાર્યા સિવાય પોસહ ઉચ્ચરવો અને તેમાં પડિલેહણના આદેશ વખતે જ પડિલેહણ કરવી અને દેવ વાંદવા અને સઝાય કરવી, પ્રતિક્રમણ સાથે પડિલેહણ ન કરનારે આ પ્રમાણે વિધિ કરવી.