SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ કિતિય-વંદિય-મહિયા, જે એલોગસ્સ ઉત્તમ સિદ્ધા / આસગ્ન-બોરિલાભ, સમાવિવરમુત્તમં દિંતુ દll શ્રી મલ્લિનાથ - મિથિલાનગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા કુંભરાજા અને પ્રભાવતીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાને એક રાત્રીએ છએ ઋતુનાં ફૂલની શય્યાએ સુવાનો દોહલો ઉપન્યો, તે દેવતાએ પૂર્યો, એવો ગર્ભનો પ્રભાવ જાણી શ્રી મલ્લિનાથ નામ દીધું, તેમનું પચીશ ધનુષ્ય શરીરનું માન અને પંચાવન હજાર વર્ષનું આયુષ્ય જાણવું, નીલ વર્ણ તથા લાંછન કુંભનું જાણવું. શ્રી મુનિસુવ્રતસ્વામી - રાજગૃહનગરમાં જન્મ હતો. તેમના પિતા સુમિત્રરાજા અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતા-પિતા મુનિરાજની પેરે શ્રાવકના ભલાં બાર વ્રત સાચવવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી મુનિસુવ્રત નામ દીધું. તેમનું વિશ ધનુષ્ય શરીરમાન અને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. કૃષ્ણ વર્ણ તથા લાંછન કાચબાનું જાણવું. શ્રી નમિજિન - મિથિલાનગરીમાં જન્મ્યા હતા, તેમના પિતા વિજય રાજા અને વપ્રા રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી સીમાડાના શત્રુ રાજા હતા તે ચઢી આવ્યા. ગામના કિલ્લાને ચારે બાજુ લશ્કરનો પડાવ નાખી વિંટી લીધો. રાજાને ઘણી બીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢીને શત્રુઓને વાંકી નજરે જોયા. રાણીનું તેજ વૈરી રાજાઓથી ખમાયું નહિ, તેથી સર્વ આવીને ભગવંતની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, કે અમારા ઉપર સૌમ્ય દષ્ટિએ જુઓ, રાણીએ તેમની ઉપર સૌમ્ય નજરે જોઈ માથે હાથ મૂક્યો. સર્વ રાજાઓ રાણીને પગે લાગી આજ્ઞા માગી પોતપોતાને નગરે ગયા. એવો ગર્ભનો પ્રભાવ જાણી નમિનાથ નામ
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy