________________
૪૦૦ પણ તમેજ સ્વામી થાઓ. અર્થાત તમારી ભક્તિનું કાંઈ ફળ મળતું હોય તો હું એટલું માંગું છું કે ભવ-ભવને વિષે તમે મારા સ્વામી થાઓ. ૪૨.
ઇત્યં સમાહિત-ધિયો વિધિવસ્જિને!, સાક્નોલ્લસત્પલક-કંકિતાલ્ગ-ભાગા; ત્વબિમ્બ-નિર્મલ-મુખાબુજ-બદ્ધલક્ષ્યા, યે સંસ્તવં તવ વિભો!રચયન્તિ ભવ્યાઃ ૪૩. જનનયન-કુમુદચન્દ્ર'!, પ્રભાસ્વરા સ્વર્ગસંપદો ભુક્વા; તે વિગલિત-મલ-નિચયા, અચિરાઝ્મોક્ષ પ્રપદ્યન્ત. (યુમમુ) ૪૪.
અર્થ - હે જિનેન્દ્ર ! હે પ્રભુ! હે મનુષ્યના નેત્રરૂપ ચંદ્ર વિકાશી કમળને ચંદ્રમા તુલ્ય! સમાધિવાળી (ધ્યાનવાળી સ્થિર)
બુદ્ધિ છે જેમની એવા, અત્યંત ઉલ્લાસ પામતા રોમાંચવડે કિંકિત છે શરીરના ભાગો જેના એવા તમારા બિંબના નિર્મળ મુખકમળને વિષે બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા અને વિશેષે ગળી ગયો છે કર્મમળનો સમૂહ જેનો એવા છતા જે ભવ્ય પ્રાણીઓ એ પૂર્વોક્ત પ્રકારે વિધિપૂર્વક તમારા સ્તોત્રને રચે છે (કરે છે) તેઓ પ્રકર્ષે દેદીપ્યમાન સ્વર્ગ લક્ષ્મીને ભોગવીને તત્કાળ (દેવ થઈને મનુષ્યભવ પામીને) મોક્ષને પ્રાપ્ત કરે છે. ૪૩-૪૪.
ઇતિ *શ્રી કલ્યાણ મંદિર સંપૂર્ણમ્. ૧. અહીં કવિએ પોતાનું દીક્ષા અવસરે ગુરૂએ આપેલું “કુમુદચંદ્ર” નામ સૂચવ્યું છે.
* આ સ્તોત્રમાં દરેક ગાથામાં મંત્રો છે તે ગુરૂગમથી જાણી લેવા.