________________
૩૨૩
પટુભિઃ - કુશળ.
| સ્તોષ્ય - સ્તવીશ. સુરલોકનાથે - દેવલોકના સ્વામી | કિલ - નિશે.
(ઇન્દ્રો) વડ. અહમપિ - હું પણ. સ્તોત્રે - સ્તોત્રો વડે. તં પ્રથમ - તે પ્રથમ. જગત્રિતય - ત્રણ જગતના. | જિનેન્દ્ર - જિનેશ્વરને. ચિત્તહરે - ચિત્તને હરણ કરનાર. | બુદ્ધયા - બુદ્ધિ વડે. ઉદારે - ઉદાર.
T વિના - રહિત. ચમત્કારી કવિ કે પંડિત તેમનામાં નથી. એક દિવસે વૃદ્ધભોજ રાજાએ શ્રાવકોને પૂછ્યું કે તમારામાં કોઈ વિદ્યાવાળા છે? ત્યારે શ્રાવકોએ કહ્યું કે-હે સ્વામી ! શ્રી માનતુંગસૂરિ આ વખતમાં મહાપ્રાભાવિક છે. તે સાંભળી રાજાએ તેમને બોલાવવાથી તેઓ ત્યાં આવ્યા. પ્રવેશ મહોત્સવ વખતે બ્રાહ્મણોએ ઘીથી ભરેલું કચોળું એક માણસના હાથમાં આપી સૂરિ મહારાજને બતાવ્યું. તેથી સૂરિએ એક સળી વાચી લઈ તે ઘીના કચોળામાં મૂકી. આમ કરવાનું કારણ શ્રાવકોએ પૂછવાથી તેમણે જણાવ્યું કે – ધૃતપૂર્ણ કચોળું બતાવી બ્રાહ્મણોએ સૂચના કરી કે કચોળામાંના ઘીની પેઠે અમારાવડે આ નગરી પૂરી ભરેલ છે તેમાં તમારો અવકાશ નથી. તેથી અમે સળી. નાંખીને સૂચવ્યું કે - જેમ ઘીમાં સળી પ્રવેશ કરે છે તે પ્રમાણે અમારો પણ આ નગરીમાં પ્રવેશ (સમાસ) થશે હવે એક વખત રાજા પાંચશે પંડિતો સાથે સભામાં બેઠા છે. ત્યાં શ્રી માનતુંગસૂરિને બોલાવી પૂછ્યું કે તમારામાં કાંઈ વક્નત્વ શક્તિ છે? ત્યારે સૂરિએ હા પાડવાથી વાદ ચાલ્યો, તેમાં જગત્કર્વત્ત્વનું ખંડન કરી સર્વને નિરુત્તર કર્યા ત્યારે રાજાએ કહ્યું કે બાણ અને મયુરની પેઠે કોઈ દૈવીશક્તિ હોય તો બતાવો. પછી સૂરિના કહેવાથી તાળાંવાળી ૪૨ (૪૮) બેડીઓ પહેરાવીને એક ઓરડામાં તેમને પૂર્યા અને દરવાજા મજબુત રીતે બંધ કરી તેને સાત તાળાં માર્યા અને આજુબાજુ બ્રાહ્મણો તથા પહેરગીરો રાખ્યા પછી માનતુંગસૂરિએ ભક્તામરસ્તોત્ર રચવા માંડ્યું, એકેક કાવ્ય કરતે છતે એક બેડી અને એક તાળું તુટતું ગયું અને દ્વાર તથા તેનાં તાળાં સ્વયમેવ ઉઘડી ગયાં, આવો ચમત્કાર જોઈ રાજાએ વિસ્મય પામી ગુરુનું બહુમાન કર્યું અને તે જૈનશાસનમાં પ્રીતિવાળો થયો આ બૃહદ્ગચ્છીય શ્રીમાનતુંગસૂરિ શ્રી વિરપ્રભુની વીશમી પાટે થયા છે.