________________ 510 સમકિત વિરહિત જીવને, શિવસુખ હોવે કેમ? વિણ હેતે કાર્ય ન નીપજે, મૃદન વિણ ઘટ એમ. જબ૦ 3. પરંપર કારણ મોક્ષકો, એ છે સમકિત મૂળ; શ્રેણિક પ્રમુખ તણી પરે, હોય સિદ્ધિ અનુકૂળ. જબ૦ 4. ચારે અનંતાનુબંધીયા, ત્રિક દર્શન મોહ; જ્ઞાન કહે જે ક્ષય કરે, વંદું તેહ જીતકોહ૫. જબ૦ 5. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મનમોહના જિનરાયા, સુરનર કિન્નર ગુણ ગાયા રે. મન૦ જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રે. મન૦ 1. મટકાનું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવમ રે; મન, સમતારસ કેરાં કચોલાં, નયણાં દીઠે રંગરોલાં રે. મન૦ 2. હાથ ન ધરે હથીયાર, નહિ જપમાલાનો પ્રચાર રે; મન, ઉસંગે ન ધરે વામા‘, જેહથી ઉપજે સવી કામારે. મન૦ 3. ન કરે ગીતનૃત્યના ચાળા, એતો પ્રત્યક્ષનટનાખ્યાલારે, મન, ન બજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજા રે. મન, 4. ઇમ મૂરતિ તુજ નિરૂપાધી, વીતરાગપણે કરી સાધીરે; મન કહે માનવિજય°ઉવઝાયા, મેંઅવલંબ્યા તુજ પાયારે. મન9૫. ભાવ મંદિર સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે; માતા મરૂદેવીનો લાડલોજી, દીઠો આનંદ પૂર રે. સમકિત) 1. 1 માટી. 2 કુંભ. 3 અતિ આકરા ક્રોધાદિ. 4 સમકિત મોહનિય, મિશ્ર મોહનિય અને મિથ્યાત્વ મોહનિય. 5 કષાય રહિત. 6 નાશ પામી દૂર થઈ. 7 ખોળામાં. 8 સ્ત્રી. 9 કામવિકારો. 10 ઉપાધ્યાય. 11 ચરણ.