SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અર્થ :- (શ્રી) સુવિધિનાથ (બીજું નામ) પુષ્પદંતને, શીતલનાથ, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્યસ્વામીને, વિમલનાથને, અનંતનાથને અને રાગ-દ્વેષના જિતનાર ધર્મનાથને તથા શાન્તિનાથને હું વંદના કરું છું. ૩ સ્ત્રી બોલી કે ‘“મારું દ્રવ્ય જોઈતું નથી, છોકરાના કાંઈ બે વિભાગ થાય નહિ, એ છોકરો એનો છે તે મહારો જ છે.'' તે સાંભળી રાણી બોલી કે “પુત્ર નાની સ્ત્રીનો છે. કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી મોટી સ્ત્રીથી ના કહેવાણી નહીં અને ન્હાની સ્ત્રીએ મારવાની મનાઈ કરી, માટે પુત્ર અને ધન એને હવાલે કરો અને ોહી સ્ત્રીને ઘરથી બહાર કાઢો.” ગર્ભના મહિમાથી ભગવંતની માતાને એવી બુદ્ધિ ઉપજી તે માટે સુમતિ નામ દીધું. તેમનું ત્રણશો ધનુષ્ય પ્રમાણ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ તથા લાંછન કૌંચપક્ષીનું હતું. શ્રી પદ્મપ્રભસ્વામી - કૌશાંબીનગરીમાં જન્મ હતો. તેમના પિતા શ્રીધરરાજા અને સુસીમારાણી માતા હતાં. ગર્ભે આવ્યા પછી માતાને કમળની શય્યામાં સુવાનો દોહલો ઉપજ્યો. (જે દેવતાએ પૂર્ણ કર્યો) તેથી ભગવંતનું શરીર પદ્મ (કમળ) સરખું રક્તવર્ષે હ.. તેથી પદ્મપ્રભ નામ દીધું. તેમનું અઢીશે ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રા લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પદ્મનું હતું તથા વર્ષે રક્ત હતા. શ્રી સુપાર્શ્વનાથ - વાણારસીનગરીમાં જન્મ હતો. તેમના પિતા સુપ્રતિષ્ઠ રાજા અને પૃથ્વીરાણી માતા હતાં. માતાનાં બંને પાસાં રોગે કરી વ્યાપ્ત હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી બંને પાસાં સુવર્ણવર્ણી અને ઘણાં સુકોમળ થયાં માટે સુપાર્શ્વ નામ દીધું. (એક પ્રતમાં ભગવંતના પિતાનાં બે પાસાં કોઢ રોગવાળાં હતાં તેને ભગવંતની માતાએ હાથ ફેરવ્યાથી સુકુમાળ નિરોગી થયાં એવો પાઠ લખ્યો છે.) તેમનું બસો ધનુષ્ય પ્રમાણ શરીર, વીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણવર્ણ અને લાંછન સાથીયાનું હતું.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy