________________
સુવિહિચ પુષ્કૃદંત, સીઅલસિક્રેસ વાસુપુજં ચ | વિમલમણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ | ૩ | ગર્ભે આવ્યાથી અણચિંતવ્યો પૃથ્વીમાં ધાન્યનો સંભવ થયો, તેથી સંભવનાથ નામ દીધું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેઓ સુવર્ણ વર્ણવાળા તથા લાંછન ઘોડાનું હતું.
શ્રી અભિનંદન સ્વામી - અયોધ્યાનગરીમાં જન્મ હતો. અને તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થ રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઈન્દ્રમહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર સ્તવી જતા હતા તે માટે રાજા પ્રમુખે જાણ્યું કે એ ગર્ભનો જ મહિમા છે, માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણશો ધનુષ્ય પ્રમાણ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા.
- શ્રી સુમતિનાથ - અયોધ્યાનગરીમાં જન્મ હતો. તેમના પિતા મેઘરથ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યા પછી તે ગામમાં એક વણિકની બે સ્ત્રીઓ હતી, તેમાં ન્હાનીને પુત્ર હતો અને સ્કોટી વંધ્યા હતી, પણ તે છોકરાનું પ્રતિપાલન બંને માતાઓ કરતી હતી. એમ કરતાં તે વાણિયો જ્યારે મરણ પામ્યો ત્યારે મ્હોટી
સ્ત્રી ધનની લાલચે કહેવા લાગી કે “આ પુત્ર મારો, માટે જેનો પુત્ર હોય તેનું ધન થાય” તેમજ ન્હાનીનો તો દીકરો હતો તેથી તેણે કહ્યું કે “એ પુત્ર મહારો છે અને ધન પણ મહારું છે” એમ બન્ને શોક્યોનો ટંટો થયો. તે વઢતી વઢતી દરબારમાં આવી, તે વારે ગર્ભના મહિમાથી રાણીને ચુકાદો કરવાની ભલી બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી એ બંનેને રાણીએ કહ્યું કે “બન્ને મળીને ધન અર્પો અર્ધ વહેંચી લો અને છોકરાના પણ બે ભાગ કરી અર્થે અર્ધ વહેંચી લો.” તે સાંભળી નાની