SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ 540 2. आघाडे आसन्ने पासवणे अणहियासे. 3. आघाडे 'मज्झे उच्चारे पासवणे अणहियासे, 4. आघाडे मज्झे पासवणे अणहियासे. 5. आघाडे 'दूरे उच्चारे पासवणे अणहियासे. 6. आघाडे दूरे पासवणे अणहियासे. બીજાં છ માંડલા ઉપાશ્રયના બારણાની તરફ ઉપર પ્રમાણે જ કહેવાં, પણ ૩Uદિયાને બદલે 'હિયારે કહેવું. ત્રીજા છ માંડલા ઉપાશ્રયના બારણા બહાર નજીક રહીને કરવાનાં તથા ચોથા છ ઉપાશ્રયથી સો હાથને આશરે દૂર રહીને કરવાનાં છે. બાર માંડલામાં ફકત ૩ધાને બદલે ૩TTધારે શબ્દ કહેવો. બાકીના શબ્દો ઉપરના છ છ માંડલામાં લખ્યા પ્રમાણે જ કહેવા. એ પ્રમાણે 24 માંડલાં કર્યા પછી ઈરિયાવહી પડિક્કમીને ચૈત્યવંદન કહેવાપૂર્વક પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણના સામાન્ય હેતુઓ | (દેવસિય પ્રતિક્રમણના હેતુઓ) પ્રથમ સામાયિક લેવું જોઈએ. “સમ” એટલે સમતા તેનો આય” એટલે લાભ છે જેને વિષે તે “સામાયિક” કહેવાય. ધર્મનું મૂળ આજ્ઞા છે. તેથી દરેક ક્રિયા ગુરુ મહારાજની આજ્ઞાપૂર્વક તેમની સમીપે કરીએ, જેમ જિનને વિરહ જિનપ્રતિમાનું પૂજનવંદન ફળદાયી થાય છે તેમ તેમને (ગુરુ મહારાજને) વિરહ૫ સ્થાપનાચાર્યની સમક્ષ આજ્ઞાપૂર્વક કરાતી ક્રિયાઓ સફળ થાય છે. ગુરુસ્થાપના ન હોય તો (થોડા કાળ માટે) પુસ્તક અથવા 1. વચ્ચે. 2. છેટે. 3. સહન ન થઈ શકે તો. 4. ઘાટ કારણ ન હોય તો. 5. નવકારથી પંચપરમેષ્ઠિની અને પંચિંદિયથી ગુરુની એમ બંને સ્થાપના એકી સાથે સ્થપાય છે, કેમકે દેવવંદન, સ્તવનાદિ વખતે પહેલી અને અન્ય સ્થાને બીજી ઉપયોગી છે. 6. અક્ષાદિરૂપ યાવતુ કથિત સ્થાપના.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy