________________ 541 નવકારવાળીની સ્થાપના સ્થાપીએ તે સ્થાપવા માટે જમણો હાથ અવળો સ્થાપના સન્મુખ રાખીએ, આમ કરવાનું કારણ સ્થાપનામાં આચાર્યના ગુણોનું આહ્વાન કરવું તે છે. કારણ કે આહ્વાન મુદ્રાની આકૃતિ તેવી છે. પછી “નવકાર તથા પંચિંદિય”માં “નવકાર” મહામંગળરૂપ છે અને “પંચિંદિયમાં આચાર્યના છત્રીસ ગુણનું વર્ણન છે. તેનું આરોપણ સ્થાપનામાં કરવાનું છે એ હેતુ છે. પછી “ખમાસમણ” દેવું તે ગુરુના વિનય અર્થે છે. પછી “ઈરિયાવહિયં” પ્રતિક્રમવા સંબંધી આદેશ માગવો, કેમકે આજ્ઞા એ ધર્મનું આરાધન છે, એમ આદેશ સંબંધી સર્વત્ર સમજવું, પછી “ઇરિયાવહિયં” પડિક્કમવા. તેનું કારણ એ કેતેની અંદર પાપનું આલોચવું થાય છે. પછી “તસ્સ ઉત્તરી કહેવું, તે ઈરિયાવહિ પડિક્કમતાં અશુદ્ધ રહેલાં એવાં પાપ (અશુદ્ધ આત્મા)ની વિશુદ્ધિને અર્થે છે. પાપની વિશુદ્ધિ થવાથી સંવર-ક્રિયાઓ વિશેષ ફળીભૂત થાય છે. પછી શેષ પાપને ટાળવા અર્થે કાયોત્સર્ગ કરવો, તેના રક્ષણાર્થે ક્ષેત્રને વાડ હોય તેની પેઠે આગાર (છૂટ) રાખવાની જરૂર છે તે માટે “અન્નત્થ0” કહેવો, પછી એક “લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો, તેનો હેતુ એ છે કે - તેથી પ્રભુના નામોનું સ્મરણ-ધ્યાન થાય છે, તે કાઉસ્સગ્નનું માન પચ્ચીશ શ્વાસોચ્છવાસનું કહ્યું છે, તેથી “ચંદેસુ નિમ્મલયરા” સુધી પચ્ચીશ પદ થાય છે. તે એકેક પદે એકેક શ્વાસોચ્છવાસ ગણતાં ત્યાં સુધી કાઉસ્સગ્ન કરવો જોઈએ. લોગસ્સ’ ન આવડે તો ચાર “નવકાર” ગણવા. જો કે તેથી તો બત્રીશ શ્વાસોચ્છવાસ થાય છે; પણ “લોગસ્સ” નથી આવડતો તેથી “નવકાર”થી ન છૂટકે-અપવાદરૂપે કામ ચલાવવું પડે છે. પછી પ્રકટ “લોગસ્સ”