________________
૨૩૯ સામિપાયાણં // ઝોં સ્વાહામંતેણં, સવાસિવદુરિઅ-હરણાણું / ૨ //
અર્થ - વિપુડોષધિ લબ્ધિને પામેલા ઝો સ્વાહા મંત્ર વડે સર્વ ઉપદ્રવ અને પાપને હરનાર (અથવા ઝીં સ્વાહા મંત્રવડે યુક્ત અને સર્વ ઉપદ્રવ અને પાપને હરનાર), પૂજ્ય શાન્તિનાથને
કાર પૂર્વક નમસ્કાર હો! ૨. _35સંતિનમુક્કારો, ખેલોસહિમાલદ્ધિપત્તાણી સૌ સ્ટ્રીં નમો સવ્યો, સહિ-પત્તાણું ચ દેઇ સિરિ. ૩.
અર્થ - શ્લેષ્મૌષધિ આદિ લબ્ધિને પામેલા શોભાયમાન શ્રી શાન્તિનાથને નમસ્કાર હો. વળી સર્વોષધિપલબ્ધિને પામેલા શાન્તિનાથને ૐ સહિત નમસ્કાર હો, જે નમસ્કાર ભવ્યોને, લક્ષ્મી આપે છે. અથવા ૐકાર સહિત શાન્તિજિનને કરેલ નમસ્કાર શ્લેખૌષધિ આદિ લબ્ધિ અને સર્વોષધિલબ્ધિ પામેલા સાધુઓને જ્ઞાનદર્શનાદિ (દ્રવ્ય અને ભાવ) લક્ષ્મી આપે છે. ૧. સૂરિમંત્રમાં કહેલ મંત્રબીજ ૨. “ૐ નમો વિષ્ફોસહિપત્તાણં ઝો સ્વાહા” એ પદ વડે જાપ કરવો. ૩. જેમાં શ્લેષ્મ અને નાકનો મેલ ઔષધરૂપ છે એ વગેરે લબ્ધિવાળા. ૪. “ૐ હ્રીં નમો ખેલોસહિમાઈલદ્ધિપત્તાણું” અને “ૐ હ્રીં નમો સવો સહિપત્તાણું” એ બે સૂરિમંત્ર છે. તેનો જાપ કરવાનો
આમ્નાય ગુરુગમથી સમજવો. ૫. જેના દાંત, નખ, કેશ અને રોમ વગેરે સર્વ અવયવો ઔષધરૂપ
છે એવી લબ્ધિવાળા.