________________ પ૬૦ (2) સર્વજીવ ક્ષમાપના. લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહિએ ટેક જી. લાખ૦ 1. સાત લાખ ભૂદગ-તેલ વાઉના, દશ ચોદે વનના ભેદોજી; ખટવિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચઉદે નરના ભેદોજી, લાખ૦૨. મુજ વૈર નહિ કેહશું, સહુશું મૈત્રી ભાવો જી; ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુણ્ય પ્રભાવોજી. લાખ૦ 3. (3) અઢાર પાપ ત્યાગ. પાપ અઢારે જીવ પરિહરો, અરિહંતસિદ્ધની શાખે છે; આલોવ્યાં પાપ તે છૂટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. પાપ૦ 1. આશ્રવ કષાય દોય બંધવા, વળી કલહ અભ્યાખ્યાન જી; રતિ અરતિ પશુન નિંદના, માયા મોહ મિથ્યાત્વ જી. પાપ૦ 2. મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડ તેહો જી; ગણી સમયસુંદર એમ કહે, જૈન ધર્મનો મર્મ એહો જી. પાપ૦ 3. (4) શ્રાવકનાં દીક્ષાનાં મનોરથો ધન ધન તે દિન મુજ કદિ હોશે, હું પામીશ સંજમ સૂધીજી; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરુ વચને પ્રતિબદ્ધો જી. ધન૦ 1. અંત પ્રાન્ત ભીક્ષા ગોચરી, રણ વને કાઉસ્સગ્ન કરશું જી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધ ધરશું જી. ધન૦ 2. સંસારના સંકટ થકી, છૂટીશ જિનવચન અવધારો જી; ધન ધન સમયસુંદર તે ઘડી, હું પામીશ ભવનો પારો. ધન૦ 3. સમાપ્ત