________________
૧૩૫
અર્થ :- તે કેવળીભાષિત શ્રાવકધર્મની આરાધનાને માટે હું ઉઠ્યો છું, વળી તે ધર્મની વિરાધના થકી હું નિવર્યો છું, ત્રિવિધે કરી નિવર્ષો થકો, ચોવીશ જિનને હું વાંદું છું. ૪૩
સર્વ ચૈત્યવંદન
જાવંતિ ચેઇઆઇ, ઉદ્ધે અ અહે અ તિરિઅલોએ અ II સવ્વાઈ તાઇ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ ૪૪ના
અર્થ :- પૂર્વે લખેલ છે. ૪૪. (પેજ નં. ૫૭માં જુઓ) સર્વ સાધુવંદન
જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ ॥ સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણું ॥૪૫મા
અર્થ :- પૂર્વે લખેલ છે. ૪૫. (પેજ નં. ૫૮માં જુઓ) શુભ ભાવની પ્રાર્થના
ચિરસંચિય પાવપણાસણીઇ, ભવસયસહસ્ય મહણીએ II ચઉવીસ-જિણ-વિણિગય-કહાઇ, વોલંતુ મે દિઅહા ।।૪૬॥
અર્થ :- ચિરકાળથી એક્ઠાં કરેલાં પાપનો નાશ કરનારી, શતસહસ્ર અર્થાત્ લક્ષ ભવને હણનારી, એવી ચોવીશ તીર્થંકરોના મુખથી નીકળેલી કથા કરવે કરીને મારા દિવસો વ્યતીત થાઓ. ૪૬