________________
૩૯૨ કમઠાસુરે કરેલ ઉપસર્ગો પ્રાભાર-સંભૂત-નભાંસિ રજાંસિ રોષા-, દુસ્થાપિતાની કમઠન શઠેન યાનિ; છાયાડપિ તૈસ્તવ ન નાથ! હતા હતાશો, ગ્રસ્તત્ત્વમીભિ-રયમેવ પર દુરાત્મા. ૩૧.
અર્થ - હે નાથ! મૂર્ખ કમઠાસુરે ક્રોધ થકી, અત્યંતપણે વ્યાપ્ત કર્યું છે આકાશ જેણે એવી જે રજો (ધૂળો) તમારા તરફ ઉડાડી; તે રજોવડે તમારી છાયા (શરીરનો પડછાયો અથવા કાત્તિ) પણ ન હણાઈ, પરંતુ એ રજવડે હતાશ (હણાઈ છે આશા જેની એવો) અને દુષ્ટાત્મા એવો એ જ કમઠાસુર વ્યાપ્ત થયો, અર્થાત્ કર્મ રૂ૫ રજવડે વ્યાપ્ત થયો. ૩૧. થર્જદૂર્જિત-ઘન-ઘમદભ્ર-ભીમ, ભ્રશ્યત્તડિમ્મુસલ-માંસલ-ઘોર-ધાર; દૈત્યેન મુક્ત-મથ દુસ્તર-વારિ દધે, તેનૈવ તસ્ય જિન!દુસ્તર-વારિ-કૃત્યમ્. ૩૨.
અર્થ - હે જિનેશ્વર ! ગર્જના કરતો પ્રબળ મેઘનો સમૂહ છે જેને વિષે એવું, ઘણું ભયંકર, આકાશ થકી પડતી વીજળી છે જેને વિષે એવું અને સાંબેલા જેવી પુષ્ટ અને બીહામણી છે ધારા જેને વિષે એવું દુઃખે તરવા યોગ્ય (દુઃસહ્ય) પાણી જે કારણ માટે કમઠાસુરે (તમને ઉપસર્ગ કરવા) વરસાવ્યું, પછી તે જ પાણીવડે તે કમઠાસુરનું ભુંડી તરવારનું કામ કરાયું. અર્થાત્
૧. “ખાડો ખોદે તે પડે” એ કહેવત મુજબ જે અધમો જિનેશ્વરની અવજ્ઞા કરે છે તેને તે અવજ્ઞા પોતાના અનર્થને માટે થાય છે તે બાબત આ અને પછીના બે કાવ્યમાં વર્ણવેલ છે.