________________
૧૮૦ જોડી અંજલી કરી “નમુત્થણ' કહેવું. પછી મુક્તાશુક્તિ મુદ્રાએ (બે હાથ પોલા જોડી, માથા સુધી ઉંચા રાખી) “જાવંતિ ચેઇઆઈ' કહી, ખમાસમણ દઈ તે જ મદ્રાએ “જાવંત કેવિ સાહુ કહી, પછી અંજલી કરી “નમોડહંત-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધભ્ય?” તેમજ ઉવસગ્ગહરં અથવા ગમે તે સુવિહિતનું કરેલું સ્તવન કહેવું પછી મુક્તાશક્તિ મુદ્રાએ જયવીયરાય આભવમખેડા સુધી કહી હાથ જરા નીચા ઉતારી જયવીયરાય પુરા કહેવા; પછી ઉભા થઈ બે પગ વચ્ચે ચાર આંગળ અંતર રાખી, બે હાથે અંજલી કરી અરિહંત ચેઈઆ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ઊસિએણં, કહી નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નમો અરિહંતાણં કહી “નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુઓઃ' કહી થોય જોડા માંહેની પહેલી થોય કહેવી.
૫૩. ગુરુવંદન કરવાનો વિધિ
પ્રથમ બે ખમાસમણ દઈ નીચે મુજબ સુખ-શાતા પૂછવી. ઈચ્છકાર 'સુહરાઈ, સુહદેવસિ સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજમ જાત્રા નિર્વહો છો જી ! સ્વામી શાતા છે ? ભાત પાણીનો લોભ દેજોજી.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અદ્ભુકિમિ અભિતર રાઈયં ખામેઉં ? કહી, અદ્ભુટિઓ
કહેવો.
૫૪. દેવસિઅ પ્રતિક્રમણનો વિધિ
પ્રથમ પૂર્વની રીતીએ સામાયિક લેવું, પછી પાણી વાપર્યું હોય તો ખમાસમણ દઈ “ઈચ્છા સંદિસહ ભગ0 મુહપત્તિ
૧. બપોર પહેલાના વખતમાં કહેવું. ૨ બપોર પછીના વખતમાં કહેવું. ૩ બપોર પછીના વખતમાં દેવસિયં કહેવું.