________________
૧૨૪ દશમા વ્રતના અતિચાર આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખેવે આ દેસાવગાસિઅંમિ, બીએ સિફખાવએ નિંદે ૨૮
અર્થ - નિયમિત ભૂમિમાં બહારથી કોઈ ચીજ મંગાવવી, પરિમાણ ઉપરાંત ભૂમિને વિષે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા, પરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને ખોંખારાદિથી જણાવવું, તેને રૂપ દેખાડવું, તેવે સ્થળે કાંઈક પદાર્થ નાંખી પોતાપણું જણાવવું. આ પાંચ અતિચાર માંહેથી દેશાવગાસિક નામના બીજા શિક્ષાવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૮
અગિયારમા વ્રતના અતિચાર સંથાચ્ચારવિહિ, પમાય તહ-ચેવ ભોયણાભોએ આ પોસહવિહિ-વિવરીએ, તઈએ સિખાવએ નિંદે રહેલા
અર્થ:- સંથારા સંબંધી બે પ્રકારના અર્થાત સંથારાને ન પડિલેહે, ન પ્રમાર્જ તથા પડિલેહ, પ્રમાર્જે તો કંઈક કરે અને કંઈક ન કરે અને લઘુનીતિ તથા વડીનીતિ સંબંધી બે પ્રકારના અર્થાત લઘુનીતિ અને વડીનીતિને પરઠવવાની ભૂમિને ન પડિલેહવી, ન પ્રમાર્જવી અને પડિલેહે, પ્રમાર્જે તો કાંઈક કરે અને કાંઈક ન કરે, એમ ચાર તથા ભોજન સંબંધી ચિંતા કરવી; અથવા પોસહ લીધો છે કે નહિ તે યાદ ન રહેવું. એ રીતે