SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણં ॥ ૧ ॥ *શ્રી અરિહંત (પરમાત્માઓ)ને નમસ્કાર થાઓ. ૧ * કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચ૨તા તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે છે – ૧. અશોક વૃક્ષ - જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે. ૨. સુરપુષ્પવૃષ્ટિ - એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણ ચિત્ત ફુલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે. ૩. દિવ્ય-ધ્વનિ - ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે છે તે. ૪. ચામર - રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. ૫. આસન સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬. ભામંડળ - ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ શકાય નહિ. - ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય ૭. દુંદુભિ - ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડે છે. તે એમ સૂચવે છે કે – ‘હે ભવ્યો ! તમે શિવપુરના સથવા૨ા તુલ્ય આ ભગવંતને સેવો.’
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy