________________
૩૩૩ સંશ્રિતા - આશ્રય કરીને રહેલા છે. | મનાક - કિંચિત્. તાન્ - તેઓને.
| મનઃ - મન. નિવારયતિ - નિવારણ કરે. વિકારમાર્ગ - વિકારની ચેષ્ટાને. સંચરતઃ - વિચરતા.
કલ્પાંતકાલ - પ્રલયકાળના. યથેષ્ટ - સ્વેચ્છાએ.
મરુતા - વાયુવડે. ચિત્ર - આશ્ચર્ય
ચલિત - કંપાયમાન થયા છે. અત્ર - અહીં.
અચલેન - પર્વતો જેનાથી એવા. યદિ - જો.
મંદરાદ્રિ - મેરૂપર્વતનું. ત્રિદશ - દેવતાઓની. શિખર - શિખર ટોચ. અંગનાભિઃ - સ્ત્રીઓ વડે. ચલિત - ચલાયમાન થયેલું. નીત - પામેલું.
કદાચિત્ - ક્યારેય પણ.
ભગવદ્ દર્શનનું ફળ દિષ્ટવા ભવંત-મનિમેષ-વિલોકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ; પીતા પયઃ શશિકર ઘુતિ-દુગ્ધસિંધો, ક્ષારં જલ જલનિધેરશિતું કઇચ્છે? ૧૧.
અર્થ - મેષોન્મેષ (મટકું મારવું) રહિતપણે જોવા યોગ્ય (એકીટસે-એકી નજરે જોવા યોગ્ય) એવા તમોને જોઈને મનુષ્યની ચ બીજે સ્થાને (અન્ય દેવોમાં) સંતોષ (આનંદ) પામતી નથી, કેમકે ચંદ્રના કિરણની કાન્તિ જેવા (ઉજ્વળ) ક્ષીરસમુદ્રના પાણીને પીને લવણસમુદ્રના ખારા પાણીને પીવાને કોણ ઈચ્છે? ૧૧.
* ક્ષીર સમુદ્રના નિર્મળ જળ તુલ્ય જિનદેવનું દર્શન પામીને લવણસમુદ્રના ખારા પાણી તુલ્ય અન્ય દેવના દર્શનને કોણ વાંછે? અર્થાત્ કોઈ ન જ ઈચ્છે.