________________
૧૫
મંગલાણં ચ સવ્વસિં ॥ ૮ ॥
વળી સર્વ મંગલમાં. ૮
પઢમં હવઈ મંગલ || ૯ || પ્રથમ મંગલ (કલ્યાણરૂપ) છે.૯
પદ (૯), સંપદા (૮), ગુરુ (૭), લઘુ (૬૧), સર્વવર્ણ (૬૮). ઈતિ નવકાર સૂત્ર. ૧
ચારિત્રધર્મની રક્ષાને અર્થે મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી આઠ પ્રવચન માતાને પાળવાની જરૂર છે, તે આ પ્રમાણે. ૧. ઈર્યાસમિતિ - સાડા ત્રણ હાથ મુખ આગળ દૃષ્ટિ નીચી રાખીને ચાલવું.
૨. ભાષાસમિતિ - સાવધ વચન બોલવું નહિ.
૩. એષણાસમિતિ - અપ્રાસુક આહાર-પાણી આદિ વહોરવાં નહિ.
૪. આદાનનિક્ષેપણાસમિતિ - વસ્ર-પાત્ર અણપુંજી ભૂમિ ઉપર લેવું - મૂકવું નહિ.
૫. પારિષ્ઠાપનિકાસમિતિ - મળ-મૂત્ર અણપુંજી જીવાકુળ ભૂમિએ પરઠવવું નહિ.
૧. મનપ્તિ - મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાવવાં નહિ.
૨. વચનગુપ્તિ - નિરવઘ વચન પણ કારણ વિના બોલવાં નહિ.
૩. કાયગુપ્તિ - શરીર અણપડિલેહ્યું હલાવવું નહિ.