SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ એવમાઈએહિં, આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ હુજ્જુ મે કાઉસ્સગ્ગો. IIII અર્થ :- પૂર્વોક્ત આગારો વગેરે બીજા (પણ ચાર)* આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત, અવિરાધિત હોજો. ૩. (ક્યાં સુધી) જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. II૪ - અર્થ :- જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પારું. ૪. ૧૩. આલાવો ગણવાને અર્થે અથવા કાયોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલી તથા પાંપણના ચાળા કરે તે ભમુહંગુલિદોષ. કાગડાની પેઠે ડોળા ફેરવે તે વાયસદોષ. ૧૪. ૧૫. પહેરેલાં વસ્ર જૂ અથવા પરસેવાએ કરી મલિન થવાના ભયથી કોઠાની પેરે ગોપવી રાખે તે કપિત્થદોષ. ૧૬. યક્ષાવેશિતની પેરે માથું ધુણાવે તે શિરઃકંપદોષ. ૧૭. મુંગાની પેરે હું હું કરે તે મૂકદોષ. ૧૮. આલાવો ગણતાં મદિરાની પેરે બડબડાટ કરે તે મદિરાદોષ. ૧૯. વાનરની પેઠે આસપાસ જોયા કરે, ઓષ્ઠપુટ ચલાવે તે પ્રેક્ષ્યદોષ. * બીજા ચાર આગાર (૧) અગ્નિના ઉપદ્રવથી બીજે સ્થાનકે જવું પડે તથા વિજળીના પ્રકાશથી વસ્ત્રાદિ ઓઢવાં પડે. (૨) બિલાડી, ઉંદર વગેરે આડા ઉતરતા હોય તથા પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થતું હોય તેથી બીજે સ્થાનકે જવું પડે. (૩) અકસ્માત્ ચોરની ધાડ આવી પડે તેથી અથવા રાજાદિના ભયથી બીજે સ્થાનકે જવું પડે. (૪) સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય. અથવા તો સર્પાદિક દંશ કરતા હોય. અથવા ભીંત પડે તેવી હોય તો બીજે સ્થાનકે જવું પડે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy