________________
૧૬૯ છટ્ટે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ / આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદુ શત ચાર ફl
અગ્યાર બારમે ત્રણશે સાર, નવ રૈવેયકે ત્રણશે અઢારા પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી ૪ો.
સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવનતણો અધિકાર છે લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઉંચાં બહોતેર ધાર પણ એકસો એંશી બિંબ પ્રમાણ, સભાસહિત
૧. બાર દેવલોક સુધીના ઇન્દ્રોને, દરેક વિમાને (૧) મજ્જન સભા. (૨) અલંકાર સભા. (૩) જ્ઞાન સભા. (૪) સિદ્ધાયતન સભા અને (૫) વ્યવસાય સભા એમ પાંચ પાંચ સભા હોય છે. દરેક સભા ત્રણ ત્રણ ધારવાળી હોય છે અને દરેક દ્વારે એકેક ચૌમુખજી એટલે ચાર ચાર પ્રતિમાજી હોય એટલે એક સભાનાં ૧૨, માટે ૫ સભાનાં ૬૦ પ્રતિમાજી મહારાજ થયાં. મૂળ ચૈત્ય ત્રણ ધારવાળાં હોય છે. તેના ગભારામાં ૧૦૮ પ્રતિમાજી અને ત્રણ વારના ત્રણ ચોમુખજીનાં ૧૨ મળી ૧૨૦ પ્રતિમાજી તેમાં હોય. તેમાં પાંચ સભાનાં ૬૦ મેળવતાં ૧૮૦ પ્રતિમાજી સભા સહિત એક ચૈત્યમાં સમજવાં. નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં ઇન્દ્રો નથી તેથી સભાઓ નથી, માટે ત્યાંનાં ૩૨૩ ચૈત્યોમાં ૧૨૦ પ્રતિમાજી દરેકના ગણવાં અને ૮૪૯૬૭૦૦ ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાજી દરેકમાં ગણવાં. જેથી અહીં બતાવેલ સંખ્યા મળી રહેશે.