________________
૧૭૦
એક ચૈત્યે જાણ || સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ।।૬।
સાતશે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ II સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલભાખ IIII
એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ | તેરશે ક્રોડ, નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ ૮
બત્રીશે ને ઓગણસાઠ, તીર્કાલોકમાં ચૈત્યનો પાઠ ।। ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર III
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ ॥ ઋષભ-ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસેણ ।।૧૦।
૧. તી[લોકમાં નંદીશ્વરદ્વીપનાં ૫૨ (બાવન) ચૈત્ય, રુચકદ્વીપનાં ૪ ચૈત્ય અને કુંડલ દ્વીપનાં ૪ ચૈત્ય મળી ૬૦ ચૈત્ય ચાર દ્વારવાળાં છે અને બાકીનાં ૩૧૯૯ ચૈત્ય ત્રણ દ્વારવાળાં છે. તેથી ચાર દ્વારવાળામાં ૧૨૪ અને ત્રણ દ્વારવાળામાં ૧૨૦ પ્રતિમાજી છે.