________________
૪૧૯
છું); તેથી મારું કલ્યાણ થાઓ અને (શિવાદેવી નામોચ્ચાર વડે) તમારું પણ કલ્યાણ થાઓ, વિઘ્નનો નાશ અને કલ્યાણ થાઓ. ૩. ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ॥ ૪ ॥
અર્થ :- જિનેશ્વર પૂજ્યે છતે ઉપસર્ગો ક્ષય પામે છે, વિઘ્નની વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ૪.
સર્વમંગલ-માંગલ્યું, સર્વકલ્યાણ-કારણમ્; પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. ।। ૫ ||
અર્થ :- સર્વ માંગલિકોને વિષે મંગળકારી, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોને વિષે શ્રેષ્ઠ એવું જૈન (જિનેશ્વરનું પ્રવર્તાવેલું) શાસન જયવંત વર્તે છે. ૫.
ઇતિ શ્રી બૃહચ્છાન્તિસ્તવ સમ્પૂર્ણમ્.
સંથારાપોરિસિ*
શબ્દાર્થ
નિસીહી - પાપ વ્યાપારનો ત્યાગ | મહામુણીર્ણ - મ્હોટા મુનિઓને. કરીને. | અણુજાણહ - આજ્ઞા આપો. જિઢિજ્જા - હે વૃદ્ધ સાધુઓ. | પરમગુરુ - શ્રેષ્ઠ ગુરુઓ. ગુરુગુણ - મ્હોટા ગુણરૂપ.
નમો - નમસ્કાર હો. ખમાસમણાણું - ક્ષમાશ્રમણોને. ગોયમાઈણું - ગૌતમ વગેરે.
* સાધુ અને રાત્રિ પોસહ કરનારા શ્રાવક રાત્રિની પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરીને પોરિસિ પૂર્ણ થયે સંથારો કરવા માટે (શયન માટે) ગુરૂ મહારાજ સન્મુખ આજ્ઞા માગવાને અર્થે આવે છે તે વખતે કરવાનો વિધિ આ સૂત્રમાં વર્ણવેલ છે.