________________
૨૫૩ અર્થ - વીશ, પીસ્તાલીશ વળી ત્રીશ અને પંચોતેર એ પ્રકારે જિનેશ્વરો ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીથી ઉત્પન્ન થયેલ ઘોર ઉપસર્ગનો પ્રકર્ષે નાશ કરો. ૩.
સત્તરિ પણતીસા વિય, સટ્ટી પંચેવ જિણ-ગણો એસો | વાહિ-જલ-જલણહરિ-કરિ-ચોરારિ-મહાભયં હરઉ | ૪ ||
અર્થ - સિત્તેર, પાંત્રીશ વળી સાઠ અને પાંચ નિશ્ચયે એ જિન સમુદાય વ્યાધિ, પાણી અથવા તાવ), અગ્નિ, વાઘ, હાથી, ચોર અને શત્રુના મોટા ભયને હરણ કરો. ૪.
પણપન્ના દસેવ ય, પન્નટ્ટી તહય ચેવ ચાલીસા || રખંતુ મે સરીરે, દેવાસુરપણમિઆ સિદ્ધા . પ . ચાર ખાનામાં અનુક્રમે મૂકવા. ચોથી આડી લીટીના અંકોવાળા ચાર ખાનામાં પણ રહું. એ ચાર બીજાક્ષરો મૂકવા અને પાંચમી આડી લીટીના અંકોવાળા ચાર ખાનામાં સરસ્સ: એ ચાર બીજાક્ષરો લખવા. આ છઠ્ઠી ગાથાના આરંભમાં ૐ છે તે પંચપરમેષ્ઠિવાચક છે અને દર્દ એ ચાર બીજાક્ષરો વડે અનુક્રમે પધા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓનાં નામ જાણવાં.
આ યંત્રની ચાર ઉભી, ચાર આડી અને બે તીર્થો એમ દશ લાઈનના અંકોનો સરવાળો કરતાં દરેકનો સરવાળો ૧૭૦ થાય છે, સર્વ બાજુથી સરખી ગણતરી મળે છે. તેથી સર્વતો ભદ્ર એવું આ યંત્રનું નામ છે આ યંત્રના ચારે બાજુના પડખાના અંકોવાળા ૧૬ ખાનામાં અનુક્રમે સાતમી અને આઠમી ગાથામાં બતાવેલી ૧૬ વિદ્યાદેવીઓનાં નામ » શ્રીં એ ત્રણ બીજાક્ષરો સહિત અને અંતમાં નમ: પદ સહિત લખવાં.