________________
૩૮૮
સ્પેન પ્રપૂરિત-જગત્ ત્રય-પિણ્ડિતેન, કાન્તિ-પ્રતાપ-યશસામિવ સંચયેન; માણિક્ય-હેમ-રજત-પ્રવિનિર્મિતેન,
૨સાલ-ત્રયેણ ભગવન્નભિતો વિભાસિ. ૨૭.
અર્થ :- હે ભગવાન્ ! પ્રકર્ષે કરીને પૂર્યું છે, ત્રણ જગત જેણે તેથી એકત્ર થયેલા એવા પોતાના કાન્તિ, પ્રતાપ અને યશના સમૂહવડે કરીને જાણે હોય ? તેમ ચારે તરફ નીલરત્ન સુવર્ણ અને રૂપા વડે નિર્માણ થયેલા (રચાયેલા) એવા ત્રણ ગઢ વડે તમે વિશેષ શોભો છે, અર્થાત્ તમારા કાન્તિ, પ્રતાપ અને યશવડે ત્રણ જગત પુરાઈ ગયું તેથી બીજું સ્થાન ન હોવાથી તેઓ ત્રણ ગઢ રૂપે એકત્ર થઈને રહેલા છે. ૨૭. દિવ્યસજો જિન ! નમત્ત્રિદશાધિપાના-, મુસૃજ્ય રત્નરચિતાનપિ મૌલિબંધાન્; પાદૌ શ્રયન્તિ ભવતો યદિ વા પરત્ર, ત્વત્સંગમે સુમનસો ન ૨મત્ત એવ. ૨૮.
૧. નીલરત્ન.
૨. નીલરત્ન, સુવર્ણ અને રૂપાના બનેલા ત્રણ ગઢ અનુક્રમે ભગવંતના સમવસરણને વિષે હોય છે. અહીં નીલરત્નના ગઢ તુલ્ય પ્રભુના શરીરની કાન્તિ (વર્ણ), સુવર્ણના ગઢ તુલ્ય (પીળો) પ્રતાપ અને રૂપાના ગઢ તુલ્ય ઉજ્જવળ યશ થયો.
૩. સૂર્ય, જ્ઞાન, માહાત્મ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઇચ્છા, ધર્મ, ઐશ્વર્ય, પરાક્રમ અને યોનિ એ ૧૪ અર્થમાં ભગ શબ્દ વપરાય છે, તેમાં યોનિ અને સૂર્ય એ બે અર્થવર્જિત ભગ શબ્દ અહીં ગ્રહણ કરવો; તે ભગ જેને હોય તે ભગવાન્ એટલે કે-જ્ઞાનવાન માહાત્મ્યવાન્ ઇત્યાદિ.