________________
૨૮૮
સય-સહસ્સસામી, છન્નવઇગામકોડિ સામી આસી જો ભારહંમિ ભવયં।।૧૧। વેઢઓ ।।
તેં સંતિ સંતિકરું, સંતિણું સવ્વભયા ।। સંતિ થુણામિ જિણં, સંતિ વિષેઉ મે || ૧૨ || રાસાનંદિઅયં ॥
૧
ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર એ સર્વ પાંડુક નિધાનમાં હોય. (૩) સર્વ જાતનાં આભરણ, અશ્વ અને હાથીનાં આભરણ, તેની વિધિપિંગલક નિધાનને વિષે હોય. (૪) ચક્રવર્તીનાં ચૌદ રત્ન વગેરે સર્વરત્ન નામે ચોથા નિધાનના યોગે થાય. કેટલાએક કહે છે કે - આ નિધાનથી તે રત્નો મહાદીપ્તિવંત થાય. (૫) વસ્ત્રની ઉત્પત્તિના પ્રકાર, રંગની ઉત્પત્તિ સાત ધાતુ, વસ ધોવાની રીત વગેરે મહાપદમ નિધાનમાં હોય. (૬) સમસ્ત કાળજ્ઞાન (જયોતિષ્મ), તીર્થંકરાદિના વંશાદિકનું કથન શિલ્પવિદ્યા, કર્ષણ (ખેતી) વાણિજય (વેપા૨) વગેરે કાળ નિધાનમાં હોય. (૭) લોઢું, સોનું, મણિ, મોતિ, સ્ફટિક અને પ્રવાળાના સમૂહ મહાકાળ નિધાનમાં હોય. (૮) શુરવીર યોદ્ધાની ઉત્પત્તિ, હથિયાર વગેરે યુદ્ધ સામગ્રી, યુદ્ધનીતિ દંડનીતિ એ માણવક નિધાનમાં હોય. (૯) નાટ્યવિધિ, ગદ્ય-પદ્યની વિધિએ મહાશંખનિધાનમાં હોય. આ નવે નિધાન ઉત્સેધાંગુલે આઠ યોજન ઉંચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ સદા રહે છે. ચક્રવર્તિ ઉત્પન્ન થઈ છ ખંડ સાધીને જ્યારે પાછા વળે ત્યારે તેની સાથે આવી ક્રિની નગરીમાં પાતાળમાં રહે. આ નિધાનો વિવિધ રત્નમય છે અને ઘણા ધન અને રત્નાદિ સમૃદ્ધિએ કરી સહિત છે, આનું વિશેષ વર્ણન જોવાની ઇચ્છાવાળાએ પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથ જોવા.
૧. એ અતિશાયી લોકોના સંબોધન અર્થે વપરાય છે તેથી હે ઉત્તમ પુરુષો ! તમારી સમક્ષ હું સ્તુતિ કરૂં છું એમ સૂચવાય છે.