SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પર ગારેણં, બિયાસણ પચ્ચક્ખાઈ, તિવિલંપિ આહાર, અસણં, ખાઇમં, સાઇમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, “સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅભુટ્ટાણેણં, પારિદ્રાવણિયાગારેણં, અન્ન અને પાણી વાપરી શકાય, આ આગાર યતિને માટે છે. પણ પાઠ સંલગ્ન હોવાથી શ્રાવકમાં પણ બોલાય છે. ૧. એકાસણાનું પચ્ચખાણ લેવું હોય ત્યારે આ પદને ઠેકાણે “એકાસણું” પાઠ કહેવો. ૨. અહીં દુવિહંપિ આહારનો પાઠ બોલે તો જમ્યા પછી પાણી અને સ્વાદિમ વાપરી શકાય, તિવિહારનું પચ્ચકખાણ કરે તો જમ્યા પછી પાણી વાપરી શકાય, અને ચઉવિહારનું પચ્ચખાણ કરે તો ચઉવ્વિલંપિ આહાર પાઠ બોલે અને જમ્યા પછી ચારે આહારનો ત્યાગ કરે. જમ્યા પછી પણ જે પચ્ચકખાણ એકાસણું વગેરે કરેલ હોય તે પ્રમાણે દિવસચરિમ ચૌવિહાર, તિવિહાર, દુવિહારનું પચ્ચકખાણ યથાસંભવ લેવું. * ચઉવિહારે અસણં પાણું ખાઈમ સાઇમં અને દુવિહારે. અસણં ખાઈમ એ પ્રમાણે પાઠ બોલવા. + સાગારિકાગારેણ-સાગારી એટલે ગૃહસ્થ. બંદિવાન પ્રમુખ તેના કારણે આ આગાર છે. એટલે મુનિને ગૃહસ્થના દેખતાં આહાર પાણી કરવાની મનાઈ છે. તેથી કોઈ ગૃહસ્થ આહાર કરતી વખતે આવ્યો હોય ને થોડીવારમાં જવાનો હોય તો તેટલી વાર આહાર કરવાની ઢીલ કરે અને ત્યાં સ્થિર રહેવાનો હોય તો અન્યત્ર જઇ આહાર કરે તો પચ્ચકખાણ ભંગ થાય નહિ. અને ગૃહસ્થને જમતી વખતે જેની દૃષ્ટિ પડતાં અન્ન પચે નહિ તેવો બંદિવાનાદિ આવ્યો હોય અથવા સર્પ, અગ્નિ પ્રમુખનો ઉપદ્રવ જણાય તો અન્યત્ર જઈ ભોજન કરતાં ભંગ થાય નહિ. ૩. આકુંચનપ્રસારણેન-જમવા બેઠા પછી ખાલી ચડી જવાના કે એવા બીજા કારણે હાથ-પગાદિ અંગોપાંગ સંકોચવા કે પ્રસારવા પડે તેથી આસન જરાક ચલાયમાન થાય તો પચ્ચકખાણનો ભંગ થાય નહિ. ૪. ગુર્વવ્યુત્થાનન-એકાસણાદિ કરતાં પોતાના ગુરૂ મહારાજ કે પ્રાહુણા મુનિ આવ્યા હોય તો તેનો વિનય-સત્કાર સાચવવા ઉભા થવું પડે તો તેથી પચ્ચકખાણ ભંગ થાય નહિ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy