________________ પ૩૪ ભગવદ્ પસાય કરી પોસહદંડક ઉચ્ચરાવોજી” કહેવું એટલે ગુરૂ પોસહની કરેમિ ભંતે ઉચ્ચરાવે.+ પછી ખમાસમણ દઈ “ઇચ્છા સામાયિક મુહપત્તિ પડિલેહું? ઇચ્છે” કહી મુહપત્તિ પડિલેહીને, ખમાતુ “ઇચ્છા સામાયિક સંદિસાહું ?" ઈચ્છે, કહી ખમા) “ઇચ્છા, સંદિo મુખ્ય ચાર ભેદ છે, (1) આહાર પોસહ-ઉપવાસ વગેરે તપ કરવો તે. (2) શરીર સત્કાર પોસહ-શરીરની સ્નાન-વિલેપનાદિ વડે વિભૂષા-સત્કાર ન કરવો તે. (3) બ્રહ્મચર્ય પોસહ-શિયળ પાળવું તે. અને (4) અવ્યાપાર પોસહ-સાવદ્ય વ્યાપાર સર્વનો ત્યાગ કરવો તે. આ ચારે પ્રકારના પોસહના દેશથી અને સર્વથી એમ બે બે ભેદ થતાં મુખ્ય આઠ ભેદ થાય છે અને સંયોગી ભેદ 80 થાય છે. પરંતુ પૂર્વાચાર્યની પરંપરાએ હાલમાં માત્ર આહાર પોસહ જ દેશથી અને સર્વથી કરવામાં આવે છે. બાકીના ત્રણ પ્રકારના પોસહ તો સર્વથી જ થઈ શકે છે. આહાર પોસહમાં ચૌવિહાર ઉપવાસ કરવો તે સર્વથી અને તિવિહાર ઉપવાસ આયંબિલ, નીવિ અને એકાસણું કરવું તે દેશથી સમજવો. માત્ર રાત્રિના ચાર પહોરનો પોસહ કરનારે પણ દિવસે એમાંનું કાંઈપણ વ્રત કરેલું હોવું જોઈએ, એવો નિયમ +પોસહમાં 18 દોષ ટાળવા તેનાં નામ. 1. પોસહમાં વ્રત વિનાના બીજા શ્રાવકનું પાણી ન પીવું. 2. પોસહ નિમિત્તે સરસ આહાર લેવો નહિ. 3. ઉત્તરપારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ. 4. પોસહમાં અથવા પોસહ નિમિત્તે આગલે દિવસે દેહવિભૂષા કરવી નહિ. 5. પોસહ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં નહિ. 6. પોસહ નિમિત્તે આભૂષણ ઘડાવવાં નહિ અને પોસહમાં આભૂષણ પહેરવાં નહિ. 7. પોસહ નિમિત્તે વસ્ત્ર રંગાવવાં નહિ. 8. પોસહમાં શરીર ઉપરથી મેલ ઉતારવો નહિ.