________________ પ૩૩ શબ્દ કહેવો તથા તપને ઠેકાણે “ફેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીતિ, આઠ એકાસણાં, સોળ બેઆસણાં, ચાર હજાર સઝાય” એ રીતે કહેવું. સંવચ્છરી પ્રતિક્રમણની વિધિ એમાં ઉપર લખ્યા મુજબ પકિનની વિધિ પ્રમાણે કરવું પણ એટલું વિશેષ જે બાર લોગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે ચાલીશ લોગસ્સ અને એક નવકાર અથવા એકસો ને સાઇઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને ઠેકાણે “અઠ્ઠમભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બેઆસણાં અને છ હજાર સઝાય૦” એ રીતે કહેવું અને પફિખ શબ્દને ઠેકાણે સંવચ્છરી શબ્દ કહેવો. ઇતિ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ *પોસહ લેવાની વિધિ પ્રથમ ખમાસમણ દઈ, પ્રકટ લોગસ્સ કહેવા પર્યત ઇરિયાવહી પડિક્કમી, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું ?" એમ બોલી, ગુરુ આદેશ આપે એટલે ઇચ્છે” કહીને મુહપત્તિ પડિલેહવી, પછી ખમા “ઇચ્છા પોસહ સંદિસાહું? ઇચ્છે” ખમા“ઇચ્છા, પોસહ ઠાઉં?” પછી ઇચ્છ' કહી બે હાથ જોડી નવકાર ગણી “ઇચ્છકારી 9 ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તેને “પૌષધ” કહીએ. શ્રાવકના બાર વ્રતમાં એ અગ્યારમું વ્રત છે. અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વ તિથિને દિવસે ચાર પહોરનો અથવા આઠ પહોરનો કરવામાં આવે છે. તે પૌષધના