________________
૩૧૮
વેષ્ટક છંદ :- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - તગણ, ચગણ (ત્રણ માત્રા,) પગણ, તગણ, ટગણ બે, તગણ બે, પગણ ટગણ ચાર, તગણ ત્રણ, તગણ ત્રણ, લઘુ, ગુરુ, ચગણ, બે ટગણ, ચગણ ગુરુ એ પ્રમાણે વેષ્ટક છંદ જાણવો.
રાસાલુબ્ધક છંદ -તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું -ટગણ બે, લઘુ, ગુરુ તથા ટગણ ત્રણ, લઘુ, ગુરુ, ટગણ ત્રણ અને છેલ્લું પાદ બીજા સરખું (ટગણ ત્રણ, લઘુ ગુરૂ) જયાં છે તે રાસાલુબ્ધક છંદ જાણવો.
વેષ્ટક છંદ - પ્રથમના વેષ્ટકથી આ જુદો સમજવો. તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું – પગણ, તગણ બે લઘુ, ગુરુ, ટગણ છ, બે ગુરુ, ટગણ સાત, લઘુ ગુરુ, પગણ, ટગણ, બે, તગણ ચગણ, ગુરુ, ટગણ નવ, બે લઘુ, ગુરુ, ટગણ ચાર, ગુરુ બે, ટગણ બે, છગણ, ગુરૂવાળા ટગણ ત્રણ, બે લઘુ ગુરુ એ પ્રમાણે બીજો વેષ્ટક છંદ જાણવો.
રાસાનંદિતક છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું - ટગણ બે,લઘુ બે, ગુરુ, પહેલા અને બીજા પાદમાં હોય, ત્રીજા પાદમાં ટગણ બે, લઘુ અને ગુરુ હોય. ચોથા પાદમાં ટગણ બે અને ગુરુ એ લક્ષણવાળો રાસાનંદિતક છંદ જાણવો.
ચિત્રલેખાછંદ-તેનું લક્ષણ આ પ્રકારે જાણવું -તગણ, ટગણ તગણ, ટગણ બે, લઘુ બે અને ગુરુ પહેલા અને બીજા પાદમાં આવે. તથા તગણ, ટગણ, તગણ, ટગણ ત્રણ, એ લઘુ અને ગુરુ ત્રીજા પાદમાં હોય અને ચોથા પાદમાં તગણ, ટગણ, તગણ, ટગણ બે, ચગણ અને ગુરુ આવે એ પ્રકારે ચિત્રલેખા છંદ જાણવો.
નારાયક છંદ :- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - ગુરુ લઘુરૂપ ચગણ નવ, નગણ, ચગણ આઠ, નગણ, ચગણ આઠ