________________
૩૬૬ તીર્થેશ્વરસ્ય કમઠ-સ્મય-ધૂમ-કેતો, સ્તસ્યાહમેષકિલ સંસ્તવન કરિષ્ય (યુમમુ) ૨.
અર્થ - કલ્યાણનું ઘર, ઉદાર (મોટું અથવા ભવ્યજનોને વાંચ્છિત આપે તેથી દાતાર), પાપને ભેદન કરનાર, ભય પામેલાને અભય (નિર્ભયતા અથવા મોક્ષ) આપનાર પ્રશસ્ય (જરાપણ દોષ રહિત અને) સંસારરૂપ સમુદ્રને વિષે ડૂબતા સમગ્ર પ્રાણીઓને વહાણ તુલ્ય એવા જિનેશ્વરના ચરણકમળને નમસ્કાર કરીને, કમઠના અહંકારને ધૂમકેતુ સમાન એવા જે (તીર્થંકર પાર્શ્વપ્રભુ)ના મહિમારૂપી મહાસાગરનું સંસ્તવન કરવાને વિસ્તાર પામેલી છે બુદ્ધિ જેની એવો બૃહસ્પતિ પોતે સમર્થ નથી તે તીર્થકરનું સ્તવન, આ (પ્રત્યક્ષ મૂખ) એવો હું નિગ્ધ કરીશ. ૧-૨.
સ્તુતિ કરવાની અશક્યતાનું વર્ણન. સામાન્યતોડપિ તવ વર્ણયિતું સ્વરૂપ, મસ્માદશાઃ કથમાધીશ! ભવન્યધીશા ; વૃોડપિ કૌશિકશિશુ-ર્યદિવા દિવાધો, રૂપે પ્રરૂપતિ કિ કિલ ધર્મરમે? ૩.
અર્થ - હે સ્વામી! અમારા સરખા મંદબુદ્ધિવાળા પુરુષો, સામાન્યપણે પણ તમારું સ્વરૂપ કહેવાને કેવી રીતે સમર્થ થાય! અથવા ધૃષ્ટ (ધીઠો-દ્રઢ પ્રયત્નવડે પ્રગભ) પણ દિવસે આંધળો એવો ઘુવડનો બાળક નિક્ષે સૂર્યના સ્વરૂપને શું કહી શકે છે?
૧. કમઠના ભવથી દશ ભવનું બંધાયેલું વૈર છે જેને એવો અસુરકુમારનિકાયનો મેઘમાળી દેવ.
૨. પૂંછડીવાળો અગર ચોટલીવાળો ગ્રહ ઉદય પામે છે. તેથી ઉપદ્રવ નાશ થાય છે, તેમ આ પાર્શ્વનાથપ્રભુ પણ કમઠના ગર્વનો નાશ કરનાર છે.