________________
૨૩૧
અનેરા ધર્મક્ષેત્ર 'સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યાં નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુ-કંપાદાન ન દીધું. બારમે અતિથિ-સંવિભાગવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦, ૧૨.
સંલેખનાતણા પાંચ અતિચાર, ઇહલોએ પરલોએ૦ ઇહલોગાસંસપ્પઓગે, પરલોગાસંસપ્પઓગે, જીવિઆસંસપ્પઓગે, મરણાસંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે, ઇહલોકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ; સુખ, સૌભાગ્ય; પરિવાર વાંછ્યાં. પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તીતણી પદવી વાંછી, સુખ આવ્યે જીવિતવ્ય વાંછ્યું. દુઃખ આવ્યે મરણ વાંછ્યું; કામભોગતણી વાંછા કીધી. સંલેષણા વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૧૩.
તપાચાર બાર ભેદ-છ બાહ્ય, છ અત્યંતર, અણસણમૂણોઅરિઆ૦ અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરીવ્રત-તે કોળિયા પાંચ સાત ઉણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ-તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહી. રસત્યાગ તે વિગઇત્યાગ ન કીધો.કાયક્લેશ
૧. દુ:ખી થતા ૨. નિર્ધન ૩. દુ:ખી. ૪. અનશન ૫. સ્નિગ્ધ રસ (વિગઇ)નો ત્યાગ-લોલુપતાનો ત્યાગ.