________________
પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે ધર્મની આદિના કરનારને હું નમસ્કાર કરું છું. ૧ તમતિમિરપડલવિદ્ધ-સણમ્સ, સુરગણનરિંદમહિઅસ્સ; સીમાધરસ્સવંદે, પફોડિઅ-મોહજાળસ્સારા
અર્થ - અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર તથા દેવતાના સમૂહ અને મનુષ્યના ઇન્દ્રોથી પૂજિત, વળી (આત્મા)ને મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (સિદ્ધાંતને) હું વાંદું છું. ૨
(વસંતતિલકા) જાઈજરામરણસોગપણાસણમ્સ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ્સ // કો દેવદાણવનજિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય? Ill
અર્થ - જન્મ, જરા, મૃત્યુ અને શોકનો અતિશયે કરીને નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ એવા મોક્ષના સુખને આપનાર, દેવ, દાનવ અને મનુષ્યના ઇન્દ્રોના સમૂહથી પૂજિત, એવા કૃતધર્મનો સાર પામીને કોણ પ્રમાદ કરે? ૩
(શાર્દૂલવિક્રીડિતમ વૃત્ત) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ,