________________
૧૭૮ સ્થાપનાજી સન્મુખ રાખીને એક નવકાર તથા પંચિંદિય' કહેવા પછી ખમાસમણ દઈ ઈરિયાવહિ, તસ્ય ઉત્તરી, અસત્ય ઊસસિએણે કહી એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી (લોગસ્સન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં પદ બોલી કાઉસ્સગ્ન પારી લોગસ્સ કહેવો. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક મુહપત્તિ પડિલેહું?” કહી કાંઈક વિરામ લઈ ઈચ્છે' કહી પચાસ બોલ ચિતવવા સાથે મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક સંદિસાહુ' ? “ઈચ્છે” કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક ઠાઉં'? “ઈચ્છે” કહી બે હાથ જોડી એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવનું પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” કહી ગુરુ અથવા વિડિલ હોય તો તેઓની પાસે કરેમિ ભંતે ઉચ્ચરવું, નહિતર પોતાની મેળે કરેમિ ભંતેનો પાઠ બોલવો. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહુ”? “ઈચ્છે” કહી. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં”? “ઈચ્છે” કહેવું પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સક્ઝાય સંદિસાહુ?” “ઈચ્છે'. કહીખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સઝાય કરું”? “ઈ'. કહી ત્રણ નવકાર ગણવા.પછી બે ઘડી વાંચવા આદિએ કરી ધર્મધ્યાન કરવું અથવા નવકારવાળી ગણવી. વિકથાદિ પ્રમાદમાં પડવું નહિ.
૧. સેન પ્રશ્નના પાઠ પ્રમાણે સ્થાપનાના ત્રણ નવકાર અને ઉત્થાપના એક નવકાર વડે થાય છે.