________________
૨૮૨
શ્રી શાન્તિજિન સ્તુતિ તે ચણિત્તમ-મુત્તમ-નિત્તમ-સત્તધરે; અજ્જવ-મદવ-ખંતિ-વિમુત્તિ-સમાહિનિહિં; સંતિકર પણમામિ દમુત્તમતિસ્થય, સંતિ-મુણી મમ સંતિસમાહિવર દિસઉ . ૮. સોવાણયં //
અર્થ - સામાન્ય કેવળીને વિષે ઉત્તમ, શ્રેષ્ઠ અજ્ઞાન (અથવા આકાંક્ષા) રહિત, ભાવયજ્ઞને ધારણ કરનાર (અથવા અજ્ઞાન રહિત વ્યવસાય છે જેમનો એવા), સરળતા, નમ્રતા, ક્ષમા, નિર્લોભતા અને સમાધિના ભંડાર, શાન્તિના કરનારા, ઇન્દ્રિયના જયવડે ઉત્તમ તીર્થ (સંઘ)ને કરનારા તે શાન્તિનાથ મુનિને પણ હું પ્રણામ કરું છું. તે શાન્તિનાથ મુનિ મને શાન્તિ વડે સમાધિ (ચિત્તની સ્વસ્થતા) રૂ૫ વરદાન આપો. ૮.
શ્રી અજિતજિન સ્તુતિ સાવત્નિ-પુણ્વપત્નિવં ચ વરહત્યિમયૂય-પસન્દ વિસ્થિસંથિયું, થિરસરિચ્છ-વચ્છ, મયગલ-લીલાયમાણ
૧. સંતિમુણી એ પદનો બે વખત સંબંધ લેવાનો છે પહેલાં ત્રણ પાદ સાથે સંબંધ લેતાં બીજી વિભક્તિનો અર્થ લેવો અને ચોથા પાદ સાથે સંબંધ લેતાં પહેલી વિભક્તિનો અર્થ લેવો. ૨. જગતની ત્રિકાળ અવસ્થાને જાણે તે મુનિ-સર્વજ્ઞ.