________________
૨૧૨
બુંદગિરિઃ શ્રીચિત્રકુટાદય-સ્તત્ર શ્રીઋષભાદયો જિનવરા કુર્વન્તુ વો મંગલમ્ ॥૩૩॥
અર્થ :-પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદપર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાન્ ગિરનાર પર્વત, પ્રસિદ્ધ માહાત્મ્યવાળો શત્રુંજયગિરિ, માંડવગઢ, વૈભારગિરિ, મેરુ પર્વત, અર્બુદાચળ અને ચિત્રકૂટ (ચિતોડ) વગેરે; ત્યાં (બિરાજમાન) શ્રી ઋષભાદિક જિનેશ્વરો તમારું કલ્યાણ કરો. ૩૩.
૬૧. શ્રી પાક્ષિકાદિ અતિચાર*
નાણુંમિ હઁસણંમિ અ, ચરણમિ તવંમિ તહ ય વિરિયંમિ, આયરણું આયારો, ઇય એસો પંચહા ભણિઓ. ૧. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ છુ, મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧.
શ્રાવકના સમ્યક્ત્વ સહિત બાર વ્રતના ૧૨૪ અતિચારો વંદિત્તા સૂત્રમાં જે સામાન્યથી વર્ણવ્યા છે તે જ અતિચારોનું વિશેષ સ્વરૂપ અહીં આપવામાં આવેલ છે. પક્ષી, ચોમાસી અને સંવચ્છી પ્રતિક્રમણમાં આ અતિચારો બોલવાનો વિધિ છે, માટે તેનું નામ પાક્ષિકાદિ અતિચાર રાખેલું છે. અતિચાર ગુજરાતી ભાષામાં હોવાથી તેનો અક્ષરશઃ અર્થ લખેલ નથી પણ કઠણ શબ્દોનો અર્થ ફૂટનોટમાં લખેલ છે.
*