________________
૨૧૧ અર્થ - જ્ઞાતાઓમાં પ્રથમ, (પાંચ) પરમેષ્ઠિઓમાં પ્રથમ, દેવોના દેવ અને સર્વજ્ઞ એવા શ્રી મહાવીર સ્વામીનું અમે ધ્યાન ધરીએ છીએ. ૩૧.
દેવોડનેકભવાર્જિતોર્જિત-મહાપાપપ્રદીપાનલો. દેવઃ સિદ્ધિવધૂવિશાલહૃદયાલંકારહારોપમ: દેવોડષ્ટાદશદોષસિંધુરઘટા નિર્ભેદપંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ, શ્રીવીતરાગો જિનઃ | ૩૦ ||
અર્થ - (જે) દેવ અનેક ભવમાં ઉપાર્જન કરેલાં ઘણા મોટા પાપને પ્રકર્ષે બાળવાને અગ્નિ સમાન છે, (જે) દેવ મોક્ષ લક્ષમીના વિશાલ હૃદય ઉપર અલંકારરૂપ હારની ઉપમાવાળા છે. (જે) દેવ અઢાર દોષરૂપ હાથીના સમુદાયને ભેદવાને કેશરીસિંહ તુલ્ય છે એવા શ્રી વીતરાગજિન ભવ્યજનોને વાંચ્છિત ફળ આપે! ૩૨.
ખ્યાતોષ્ટાપદપર્વતો ગજપદક સંમેતશૈલાભિધઃ શ્રીમાનું રેવતક પ્રસિદ્ધમહિમા શત્રુંજયો મંડપ. વૈભાર: કનકાચલોડ
૧. આ શ્લોક વડે ભાવજિનની સ્તુતિ કરવામાં આવી છે. અને ૩ થી ૨૭ શ્લોક વડે નામજિનની સ્તુતિ કરવામાં આવી છે.
૨. આ શ્લોક વડે ભરતક્ષેત્રમાં આવેલા અશાશ્વત તીર્થ ઉપર બિરાજમાન જિનપ્રતિમાઓની સ્તુતિ થાય છે. એમાં કનકાચળ કહેલ છે. તે કોઈ અશાશ્વત તીર્થ હોવું જોઈએ. મેરુપર્વત હોવાનો સંભવ નથી.