________________ 482 શ્રી વાસુપૂજ્યસ્વામીનું સ્તવન. (સાહેબા મોતીડો હમારો-એ દેશી) સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચોરી લીધું; સાહેબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય એ આંકણી. અમે પણ તેમશું કામણ કરશું, ભકત્યે ગ્રહી મન ઘરમાં ધરશું. સા૦ 1. મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે સ્થિર-થોભા; મન વૈકુંઠે અકુંઠિત ભક્તિ, યોગી ભાખે અનુભવ યુફતે સા૦ 2. ફલેશે વાસિત મન સંસાર, કુલેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તો અમે નવનિધિ ઋદ્ધિ પાયા. સા૦ 3. સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભકત્યે અમ મનમાં પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા૦ 4. ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ કે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર-નીરપરે તેમશું મળશું, વાચક યશ કહે હે હળશું.સાવ 5. 1 અસ્મલિત. 2 આકુળતા. 3 અંતરભેદ ટાળીશું. 4 પ્રેમે પ એકતા કરીશું.