________________ પ૦ર શ્રી વિરપ્રભુનું દીવાલીનું સ્તવન. મારગદેશક મોક્ષનો રે, કેવળજ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પર ઉપગારી પ્રધાનો રે; વીરપ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધારો રે; હવે ઇણ ભારતમાં, કોણ કરશે ઉપગારો રે. વીર૦ 1. નાથ વિહૂણું સૈન્ય ક્યું રે, વીર વિહૂણો રે સંઘ; સાધે કોણ આધારથી રે; પરમાનંદ અભંગો રે. વીર. 2. માતા વિહૂણો બાળ ક્યું રે, અરહો પરહો અથડાય; વીર વિહૂણા જીવડા રે, આકુલ વ્યાકુલ થાય રે. વીર. 3. સંશયછેદક વીરનો રે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે રે; તે વિણ કેમ રહેવાય રે. વીર૦ 4. નિર્ધામક ભવસમુદ્રનો રે, ૨ભવાટવી સત્યવાહ; તે પરમેશ્વર વિણ મલે રે, કેમ વાધે ઉત્સાહ રે. વીર૦ 5. વીર થકાં પણ શ્રુતતણો રે, હતો પરમ આધાર; હવે ઈહાં શ્રુત આધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે. વર૦ 6. ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ; સેવો ધ્યાવો ભવિજના રે, જિન પડિયા સુખકંદો રે. વિર૦ 7. ગણધર આચારજ મુનિ રે, સહુને ઇણીપરે સિદ્ધ; ભવ ભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે. વી૨૦ 8. અથ શ્રી પજુસણ પર્વનું સ્તવન. (આંખડીએ મેં આજ શેત્રુજો દીઠો રે - એ દેશી) સુણજો સાજન સંત પાસણ આવ્યાં રે, તમે પુન્ય કરો પુન્યવંત ભવિક મન ભાવ્યાં રે. (આંકણી). 1 તારક. 2 સંસાર-અટવીનો પાર પમાડનાર સાર્થવાહ.