________________
૧૬૨ ઉપસર્ગો ક્ષય યાંતિ, છિદ્યત્તે વિદનવલ્લય // મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૧૮.
અર્થ :- શ્રી જિનેશ્વર ભગવાનને પૂજતાં થકાં, ઉપસર્ગો નાશ પામે છે, વિદનરૂપી વેલો છેદાય છે, મન પ્રસન્નતાને પામે છે. ૧૮
સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણકારણમ્. પ્રધાન સર્વધર્માણાં, જેન જયતિ શાસનમ્ ૧લા
અર્થ:- સર્વ મંગલોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ, સર્વ ધર્મમાં મુખ્ય એવું જૈનશાસન જયવંતું વર્તે છે. ૧૯
ઇતિ શ્રી લઘુશાન્તિ સ્તવ. ૪૩
૪૪. ચઉક્કસાય
શબ્દાર્થ ચીક્કસાય - ચાર કષાય રૂપ. | ઉલ્લરમ્ - ઉચ્છેદનાર. પડિમલ્લ - વૈરીને.
દુર્જય- દુર્જય. ૧. રાત્રીએ સંથારાપોરિસીમાં આ સૂત્ર ચૈત્યવંદન તરીકે બોલવામાં આવે છે. દરેક શ્રાવક સંથારાપોરિસી ભણાવી શકતા નથી તેથી દેવસિઅ પ્રતિક્રમણના અંતે સામાયિક પારતી વખતે લોગસ્સ કહ્યા પછી કહેવાનો વિધિ શ્રાવકોને માટે છે.