________________ પ૩૮ વિધિ-પ્રથમ ખમાળ ઈચ્છાબહુપડિપુન્ના પોરિસિ? કહી બીજાં ખમા૦ દઈ ઈરિયાવહી પડિક્કમવા; પછી ખમા) દઈ ઈચ્છા, પડિલેહણ કરું? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. રાઈ મુહપત્તિ પડિલેહણ વિધિ. ત્યાર પછી ગુરુ હોય તેમની સમક્ષ રાઈ મુહપત્તિ પડિલેહવી. તેની વિધિ આ પ્રમાણે - પ્રથમ ખમાદઈ, ઇરિયાવહી પડિક્કમી, ખમા) દઈ ઇચ્છા૦ રાઈ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી પછી બે વાંદરાં દેવાં; પછી ઇચ્છા, રાઇયં આલોઉં? ઇચ્છે કહી તેનો પાઠ કહેવો. પછી સવ્યસ્તવિ રાઈઅ) કહીને પદસ્થ હોય તો તેમને બે વાંદણાં દેવાં. પદસ્થ ન હોય તો એક ખમાસમણ દેવું. પછી ઈચ્છકાર સુહરાઇવ કહીને ખમાસમણ દઈ અમ્મુઢિઓહ ખમાવવું, પછી બે વાંદણાં દઈ ઈચ્છકારી ભગવનું પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી, એમ કહીને પચ્ચકખાણ કહેવું. (લેવું.). સાંજની પડિલેહણ વિધિ. પ્રથમ ખમા દઈ ઇચ્છા બહપડિપુન્ના પોરસી કહી ખમાળ ઇચ્છા) ઇરિયાવહિયં પડિક્કમામિ કહી. ઈરિયાવહી પડિક્કમવા, પછી ખમાળ ઇચ્છા) ગમણાગમણે આલોઉં? ઇચ્છે કહી ગમણાગમણે આલોવવા. પછી ખમાઇચ્છાપડિલેહણ કરૂં? ઇચ્છે કહી ખમાઇચ્છાપોસહશાલા પ્રમાણું? ઇચ્છે કહીને ઉપવાસવાળાઓએ મુહપત્તિ, કટાસણું ને ચરવળો પડિલેહવા, અને જગ્યા હોય તેણે કંદોરો, ધોતીયું, સુધાં પાંચ 1. આ વિધિ ગુરુ સમક્ષ રાઈ પ્રતિક્રમણ કર્યું હોય તેને કરવાની નથી. તેમ ગુરુ ન હોય ત્યારે પણ કરવાની નથી.