________________
પર
સિદ્ધિગઈનામધેયં - સિદ્ધિગતિ- | અઈઆ - અતીતકાળે. નામનું. | સિદ્ધા - સિદ્ધ થયા. ભવિસ્યંતિ - સિદ્ધ થશે. અણાગએકાલે-અનાગતકાળનેવિષે. સંપઈ અ - જે વર્તમાનકાળે. વટ્ટમાણા - વિદ્યમાન છે. સબ્વે - તે (દ્રવ્યજિન) ને. તિવિહેણ - મન, વચન, કાયાએ વંદામિ - હું વંદના કરું છું.
જિણાણું - જિનેશ્વરોને. જિઅભયાર્ણ - જીત્યા છે ઈહલોકાદિ- | સાત ભય જેણે એવાને.
|
જે અ - જેઓ.
ઠાણું - સ્થાનને.
સંપત્તાણું - પામેલાને.
નમો - નમસ્કાર હો.
નમુન્થુણં *અરિહંતાણં ભગવંતાણં ॥૧॥
અર્થ :- નમસ્કાર હો, (શ્રી) અરિહંતને, ભગવંતને. ૧
આઈગરાણું, તિત્યયરાણં, સયંસંબુદ્ધાણં॥૨॥
અર્થ :- (ધર્મની) આદિના કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. ૨
પુરિસુત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવર પુંડરીઆણં, પુરિસવર ગંધ-હસ્થીણું ।।૩।।
* અરિહંત ભગવાનને ચોત્રીશ અતિશય હોય તે આ પ્રમાણે - ૧. તેમનું શરીર અનંતરૂપમય, સુગંધમય,રોગરહિત, પરસેવારહિત, અને મલરહિત હોય.
૨. રુધિર તથા માંસ, ગાયના દૂધ સમાન ધોળાં અને દુર્ગંધ વગરનાં હોય.
૩. આહાર તથા નિહાર, ચર્મચક્ષુથી અદૃશ્ય હોય. ૪. શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય.