________________
૨૫૮
અર્થ:-ચંદન અને કપૂરવડે પાટિયામાં (ઉપર જણાવેલો યંત્ર) લખીને પછી ધોઈને આ યંત્ર પીધો છતો એકાંતરીયા વગેરે તાવ, ગ્રહ, ભૂત, શાકિની અને મોગક (ઉપલક્ષણથી બીજા પણ દુષ્ટ રોગ, ભૂતાદિના આવેશ વગેરે)નો પ્રકર્ષે નાશ કરે છે. ૧૩.
ઇઅ સત્તરિસર્યા જંત, સમ્મ મંતં દુવારિ પડિલિહિએ છે દુરિઆરિ વિજયવંત, નિદ્ભુતં નિચ્ચ-મધ્યેહ // ૧૪
અર્થ - એ પ્રકારે દ્વારમાં લખેલ એકસો સિત્તેર જિનનો યંત્ર જે સમ્યગુ મંત્ર છે, તે કષ્ટ અને શત્રુનો વિજય મેળવનાર છે, તેને નિઃસંદેહ નિરંતર પૂજો. ૧૪.
ઇતિ સત્તરિય થd. *નમિઊણ સ્તોત્રમ્
શબ્દાર્થ નમિઊણ - નમસ્કાર કરી. | ચૂડામણિ - મુકુટને વિષે રહેલા પણસુરગણ - નમસ્કાર
મણિઓના. કરનારા દેવસમુદાયના. | કિરણજિ-કિરણો વડે શોભાયમાન. ૧. અહીં કેટલાએક કહે છે કે રૂપા અગર ત્રાંબાના પતરામાં યંત્ર લખીને ગૃહમધ્યે નિરંતર પૂજન કરવું અને કાર્ય વખતે શુદ્ધ જળ પ્રક્ષાલન કરીને જળ પીવું.
૨. અહીં “દુરિઆરિવિજયતંત” એવો પાઠ પણ છે ત્યાં “કષ્ટ અને શત્રુનો વિજય કરનાર એવું તંત્ર એટલે (એકસો-સિત્તેર જિનના યંત્રરૂપ) શાસ” એ પ્રકારે અર્થ લેવો.
* આ સ્તોત્ર શ્રી વીર પ્રભુની ૧૦મી પાટે થયેલા બૃહદ્ગચ્છીય શ્રી માનતંગસૂરિએ રચ્યું છે. તેમણે આ સ્તોત્રની આઠમી ગાથા રચતાં નાગરાજને વશ કર્યો હતો.