________________
૭૨
(ઈન્દ્રવજા છંદ) સંસારદાવાનલ-દાહનીર, સંમોહ-ધૂલીહરણે સમીર / માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વિરે ગિરિસાર-ધીરમ્ II૧il.
અર્થ - સંસારરૂપી દાવાનળના તાપને ઓલવવાને પાણી સમાન, અજ્ઞાનરૂપી ધૂળને હરણ કરવાને પવન સમાન, કપટરૂપી પૃથ્વીને ખોદવાને તીક્ષ્ણ હળ સમાન અને મેરૂપર્વતની જેવા પૈર્યવાળા એવા વિરપ્રભુને હું નમસ્કાર કરું છું. ૧
(વસંતતિલકાવૃત્તમ). ભાવાવનામ-સુરદાનવમાનવેન, ચૂલાવિલોલકમલાવલિમાલિતાનિ . સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, કામનમામિ જિનરાજપદાનિ તાનિ ારા
અર્થ - ભાવપૂર્વક નમસ્કાર કર્યો છે જેણે એવા દેવ, દાનવ અને મનુષ્યના સ્વામી, તેમના મસ્તકને વિષે રહેલા મુગટ ઉપરના દેદીપ્યમાન (ચપળ) કમળોની શ્રેણીઓ વડે જે પૂજાયેલા છે. તથા સમ્યફ રીતે પૂર્ણ કર્યા છે નમસ્કાર કરનારા લોકોનાં મનોવાંછિત જેમણે એવા જિનેશ્વર ભગવાનનાં તે ચરણો પ્રત્યે હું સ્વેચ્છાએ નમસ્કાર કરું છું. ૨