SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, અર્થ - ક્રોધરૂપ, માનરૂપ, માયારૂપ અને લોભરૂપ આશાતનાએ કરીને. સલ્વકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જ દીઠા છે ને! તમે જાતે કેમ કરતા નથી? અથવા બીજા શિષ્યને કરવા કેમ કહેતા નથી? એમ ગુરુ મહારાજની તર્જના કરતાં ગુરુ આશાતના લાગે. ૨૫ ગુર્નાદિક વડીલ સાધુઓને વ્યાખ્યાન પ્રમુખ કરતા દેખી શિષ્ય દુમણો થાય પણ પ્રમુદિત ન થાય તો ગુરૂઆશાતના લાગે અથવા ગુર્નાદિક વડીલનો કોઈ રાગી હોય તેને દેખી દુમણો થાય તો તેથી પણ ગુરૂઆશાતના લાગે. ૨૬ ગુરુમહારાજ વ્યાખ્યાનાદિક કરતા હોય ત્યારે “એ તમે ભૂલી ગયા છો આ વાત તમને યાદ નથી, એનો અર્થ એ ન હોય' ઇત્યાદિક અનુચિત વચન બોલતાં ગુરૂઆશાતના લાગે. ૨૭ અથવા એ બાબત હું તમને પછી સારી રીતે સમજાવીશ એમ આપ ડહાપણ બતાવવા સભા સમક્ષ બોલી, ચાલતી કથાનો ભંગ કરે, તો તેથી ગુરુ આશાતના લાગે. ૨૮ અથવા એવે અવસરે આવીને શિષ્ય કહે મહારાજ! પોરસીવેળા કે આહારવેળા થઈ ગઈ છે, એમ કહીને પર્ષદાનો ભંગ કરે તો ગુરૂઆશાતના લાગે. ૨૯ અથવા પર્ષદા ઉઠી ગઈ ન હોય એટલામાં પોતે ડહાપણ બતાવવા માટે ગુરુમહારાજે વ્યાખ્યાનમાં કહેલી જ વાત વધારે વિસ્તારી બતાવે તો ગુરૂઆશાતના લાગે. ૩૦ ગુરુસંબંધી શયા-સંથારા પ્રમુખને પોતાના પગ વગેરેથી સંઘટ્ટો કરી પછી ખમાવે નહિ તો આશાતના લાગે. ૩૧ ગુરુની શયા કે સંથારાદિ ઉપર પોતે બેસે કે આળોટે કે અસભ્ય રીતે તેનો સ્પર્શ કરે તો ગુરૂઆશાતના લાગે. ૩ર ગુરુથકી ઉંચા આસને બેસે, અથવા ગાદી કરી બેસે, અથવા ગુરુ જેવાં કે તેથી અધિક મૂલ્યવાળાં વસ્ત્ર વાપરે તો દોષ લાગે. ૩૩ ગુરુ જેવા સમાન આસન ઉપર બેસે અથવા ગુરુ જેવા સમાન વસ્ત્ર લઈ વાપરે તો ગુરુ આશાતના લાગે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy