________________
૩૩૯ નથી. અર્થાત્ સૂર્યની ઉપમા પણ આપને ઘટતી નથી કેમ કે તેના કરતાં પણ અધિક મહિમાવાળા તમે છો. ૧૭.
ચંદ્રની ઉપમાની વ્યર્થતા. નિત્યોદયં દલિતમોહ-મહાંધકાર, ગમ્ય ન રાહુવદનસ્ય ન વારિદાનામ્; વિભ્રાજવે તવ મુખાન્જ-મનલ્પકાન્તિ, વિદ્યોતયજ્જગદપૂર્વ-શશાંક-
બિમ્બમ્. ૧૮. અર્થ:- નિરંતર ઉદય પામેલું, દલન કર્યો છે અજ્ઞાનરૂપ (મોહનીય કર્મરૂપ) મોટો અંધકાર જેણે એવું, રાહુ (કુર્તક વાદીરૂપ)ના મુખને નહિ ગ્રસવા યોગ્ય, આઠ કર્મરૂપ વાદળાંઓને નહિ આચ્છાદન કરવા યોગ્ય, અત્યંત કાન્તિવાળું અને ત્રણ જગતને પ્રકાશ કરતું એવું તમારું મુખરૂપ કમળ અપૂર્વ ચંદ્રમાના બિંબરૂપ શોભે છે. અર્થાત્ ચંદ્રની ઉપમા પણ આપને ઘટતી નથી, કેમકે તેના કરતાં પણ આપ અધિક મહિમાવાળા છો. ૧૮.
કિં શર્વરીષ શશિનાડનિ વિવસ્વતા વા, યુષ્પમુખેંદુ-દલિતેવુ તમસુ નાથ !; નિષ્પન્ન-શાલિ-વન-શાલિનિ જીવલોકે, કાર્ય કિયજ્જલધરે-જેલભાર નદૈ: ૧૯
અર્થ - હે નાથ ! તમારા મુખરૂપ ચંદ્રમાવડે અંધકાર દલન કરાવે છતે, રાત્રિઓને વિષે ચંદ્રવડે અથવા દિવસે સૂર્યવડે શું પ્રયોજન છે? અર્થાત્ તે કંઈ કામના નથી કેમ કે પાકેલા શાલી (ડાંગર)ના વનવડે શોભાયમાન થયેલા જીવલોક છતે, પાણીના ભારવડે નમ્ર થયેલા મેઘવડે શું પ્રયોજન છે?