________________ 484 એક ભવે દોય પદવી પામ્યા, સોળમા શ્રી જિનરાય રે; મુજ મનમંદિરીએ પધરાવ્યા, ધવલ મંગળ ગવરાય રે. શાંતિ 12. જિન ઉત્તમ પદરૂપ અનુપમ, કરતિ કમલની શાળા રે; જીવવિજય કવિ પ્રભુજીની ભક્તિ, કરતા મંગલમાળા રે.શાંતિ) 13. શ્રી પાર્શ્વજિન સ્તવન મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહેશું; વામાનંદન જગદાનંદન, જે સુધારસ ખાણી; મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇન્દ્રાણી. મોહન, 1. ભવ પટ્ટણ ચહું દિશિ ચારે, ગતિ ચોરાસી લાખ ચઉટા; ક્રોધ માન માયા ને લોભાદિક, ચોવટીયા અતિ ખોટા. મોહન૦૨. અનાદિ નિગોદનો બંધીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંક્યો; મોહન) 3. ભવસ્થિતિ કર્મવિવર લઈનાઠો, પુન્ય ઉદયપણવાળો; સ્થાવર વિગલૈંદ્રિપણું ઓલંગી, પંચેદ્રિપણું લાધ્યો. મોહન) 4. માનવભવઆરજ કુલસર,વિમલબોધ મળ્યોમુજને, ક્રોધાદિ રિપુ શત્રુ વિમાસી, તેણે ઓળખાવ્યો તુજને. મોહન) પ. પાટણ માંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તર બાણુ શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેટ્યા. મોહન) 6. સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું ખિમાવિજય જિન ચરણ રમણ સુખ, રાજ પોતાનું લીધું. મોહન૦ 7.