________________
૨૩૩ વિર્યાચારના ત્રણ અતિચાર. અણિમૂહિઅબલવરિઓ૦ પઢવે. ગુણવે વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયાતણું છતું બિલ, છતું વીર્ય ગોપવ્યું. રૂડા પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવર્તવિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા ઉતાવળું દેવવંદન પડિક્કમણું કીધું. વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૧૬. નાણાઇઅટ્ટ પઇવય, સમ્મસંલેહણ પણ પન્નર કમ્મસુ બારસ તપ વિરિઅતિગં, ચઉવ્વીસ સયં અઇયારા.૧
પડિસિદ્ધાણં કરણે૦ પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજ ભક્ષણ, મહારંભ પરિગ્રહાદિ કીધાં, જીવાજીવાદિક સૂક્ષ્મવિચાર સદહ્યા નહીં. આપણી કુમતિ લગે ઉસૂત્ર પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પેશુન્ય, રતિ-અરતિ,
૧. ઈન્દ્રિજન્ય શક્તિ ૨. આત્મિક શક્તિ ૩ શૂન્ય ચિત્તે ૪. જ્ઞાનાદિ આચાર (જ્ઞાનાચાર દર્શનાચાર અને ચારિત્રાચાર)ના આઠ-આઠ (એટલે ૨૪) પ્રત્યેક વ્રત, (શ્રાવકનાં બાર વ્રત) સમ્યકત્વ અને સંલેષણાનાં પાંચપાંચ (એટલે ૭૦) કર્માદાનના પંદર, તપના બાર અને વીર્યના ત્રણ એમ સર્વ મળી એકસો ચોવીશ અતિચાર શ્રાવકધર્મના સમજવા.