________________
૩૯૭ માટે જ હું દુઃખનું ભાજન (સ્થાન) થયેલો છું. જે કારણ માટે ભાવ રહિત ક્રિયાઓ (શ્રવણ, પૂજન, દર્શનાદિ) વિશિષ્ટ ફળ આપતી નથી. ૩૮.
– નાથ ! દુઃખિજ-નવત્સલ ! હે શરણ્ય !, કારુણ્ય-પુણ્ય-વસતે ! વશિનાં વરેણ્ય!; ભકત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય, દુઃખાકુરોદ્દલન-તત્પરતાં વિધેહિ. ૩૯.
અર્થ :- હે નાથ ! દુઃખીજનો ઉપર કરુણાળુ ! હે શરણ કરવા યોગ્ય! હે કરુણાપણાના પવિત્ર સ્થાન! (અથવા દયા અને ધર્મના સ્થાન !) હે જિતેન્દ્રિયોને વિષે શ્રેષ્ઠ! હે મ્હોટા ઈશ્વર ! તમે ભક્તિવડે નમેલા પ્યારા ઉપર દયા કરીને દુઃખની ઉત્પત્તિના કારણના ખંડનને વિષે તત્પરતા કરો. અર્થાત્ મહારાં દુઃખો ઉતાવળે નાશ કરો. ૩૯. નિઃસંખ્ય-સાર-શરણે શરણે શરણ્ય-, માસાદ્ય સાદિત-રિપુડપ્રથિતાડવદાતમુ; વત્ પાદ-પકજમપિપ્રણિધાન-વંધ્યો', વધ્યોડસ્મિ ચે ભુવનપાવન! હા હતોડસ્મિ. ૪૦.
અર્થ - હે ત્રણ ભુવનને પવિત્ર કરનારા! અસંખ્ય બળના ઘર, શરણ કરવા યોગ્ય, નાશ કર્યા છે શત્ર જેણે એવા અને પ્રસિદ્ધ છે પ્રભાવ જેનો એવા તમારા ચરણકમળના પણ શરણને પામીને જો હું ધ્યાનવડે રહિત છું તો (રાગાદિ શત્રુવડે) હણવા યોગ્ય છું હા ઇતિ ખેદે હું (દુર્દેવવડે) હણાયેલો છું. ૪૦.
૧. પ્રળિધાનવંધો ! વોડમિએ પ્રકારે પાઠાંતર છે. ત્યાં આ પ્રમાણે અર્થ લેવો - હે મિત્ર! તમારા ચરણનું શરણ પામીને પણ જો હું નિષ્ફળ છું, તો હે ભુવનપાવન ! ખેદ થાય છે કે હું દુર્દેવવડે હણાયેલો છું.