________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
વાતેવાતમાંથી સહજતયા વૈરાગ્ય જ નિર્મિત થાય એવી જ મુમુક્ષુ સાધકની મનોસ્થિતિ હોય છે - પ્રત્યેક
વાતમાંથી બોધ અને વિવેક ગ્રહણ કરવો તથા સહજ વૈરાગ્યભાવ ઉપલબ્ધ ક૨વો અને વારેવારે અંતર્મુખદ્રષ્ટિ કરી લેવી; એવી સાધકની સ્વાભાવીક રીતિ હોય છે.
૩૪
0
નીવડેલા નિર્વાણ સાધકને તો વારંવાર શૂન્યમનસ્ક થઈ આત્મલીન બની જવું જ રૂચે છે. કોઈપણ પ્રકારનો મનોવ્યાપાર કરવો એને ખાસ પસંદ નથી. પવન વિનાના-દિવાની નિશ્ર્ચલ જ્યોત જેવું એવું મન ‘નિશ્ચલ ' થઈ ચૂક્યું હોય છે. - આથી તો એને ‘સ્થિતપ્રજ્ઞ’ કહેવાય છે.
"
@>
નિશ્ર્ચલમના સાધકને કોઈ બાહ્યભાવની મહત્તા જ મૂળતઃ નથી; એથી સકલ બાહ્યભાવો પ્રતિ એ હર્ષખેદાદિ પ્રતિભાવોથી રહિત હોય છે. દુન્યવી બાબતોમાં એ સાવ જડભરત જેવો' - રૂચી-રતીલક્ષ્યવિહોણો મૂઢવત્ વર્તે છે. - જાણે મૂર્ત-પ્રતિમા જ ન હોય !
70
નિર્વાણપથના પથિકને, નિજાનંદમાં નિમગ્ન રહેવા સિવાય બીજું કાંઈ રૂચતું-જચતું નથી. સ્વચૈતન્યમાં એ સુપેઠે થંભી રહેલ હોય છે. - થંભી રહેવા ઝંખે છે. શૂન્યમનસ્ક-ધ્યાનમાં લીન રહેવું અને આત્માને વધુ ને વધુ ગહનતાથી સંવેદવો એ જ એની ઊંડી અભીપ્સા હોય છે.
70×
અંતરાત્મામાં સમાયેલો સાધક કોઈ વસ્તુ ટગર ટગર જોતો હોય તોય એ જોતો નથી. એ અરૂપીને જ જૂએ છે-કોઈ રૂપી પદાર્થ ને નહિ, ખાવા છતાં એ ખાતો નથી. બોલવા છતાં એ બોલતો નથી. એ તો તમામ કરણીઓનો સાક્ષી' માત્ર જ છે.
1017
જ્ઞાની બહારથી સનમૂન લાગે - દરેક બાબતમાં બેધ્યાન લાગે - ઘણીવાર ઉન્મત જેવા લાગે...એ બહારથી જેવા પણ લાગે, પણ ભીતરથી એવા નથી. જ્ઞાનીની ભીતરીય દશા કેવી હોય છે એ વર્ણનનો વિષય નથી. ઘણી ઘણી અદ્ભૂત આંતરદશા એમની હોય છે.
1811
બાહ્યથી જોતા જ્ઞાની સામાન્ય આદમીની જેવા જ વિશેષતારહિત બતાય છે. કોઈપણ દેખાવ કરવા તેઓ સ્વભાવતઃ ખુશી ન હોય; આડંબરી કરતા એ અલ્પ તેજસ્વી પણ ભાસે; પરંતુ અંદરમાં એ કેવી પ્રમોન્નત દશાએ વિરાજતા હોય છે એ તેઓ જ જાણે છે.